Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છત્રપતિ સંભાજી મહારાજ બનેલા વિકી કૌશલે છત્રપતિ ​સંભાજીનગર જઈને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના આશીર્વાદ લીધા

છત્રપતિ સંભાજી મહારાજ બનેલા વિકી કૌશલે છત્રપતિ ​સંભાજીનગર જઈને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના આશીર્વાદ લીધા

Published : 07 February, 2025 09:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ રિલીઝ માટે તૈયાર છે. એ ફિલ્મમાં વિકી છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી રહ્યો છે.

વિકી કૌશલ

વિકી કૌશલ


વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ રિલીઝ માટે તૈયાર છે. એ ફિલ્મમાં વિકી છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ સાહસિક મરાઠા શાસકના શાસનકાળને દર્શાવશે જેની શરૂઆત ૧૬૮૧માં તેમના રાજ્યાભિષેક સાથે થશે. ફિલ્મની રિલીઝની વાત કરીએ તો ૧૯ ફેબ્રુઆરીએ શિવાજી જયંતી છે એને ધ્યાનમાં રાખીને વિકીની આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થશે.


ફિલ્મની રિલીઝમાં ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે એના પ્રમોશનની શરૂઆત કરતાં પહેલાં વિકીએ છત્રપતિ સંભાજીનગરમાં ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં હતાં અને શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. વિકીએ મંદિરમાં શિવપૂજા કરીને ‘છાવા’ની સફળતા માટે આશીર્વાદ માગ્યા હતા જેની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2025 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK