Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત સાથે શું થયું હતું એ જાણવા માટે ફરી એક વખત વિનંતી કરી તેની બહેને

સુશાંત સાથે શું થયું હતું એ જાણવા માટે ફરી એક વખત વિનંતી કરી તેની બહેને

15 June, 2024 09:45 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુશાંત સિંહ રાજપૂતના અવસાનને ચાર વર્ષ પસાર થવા છતાં કેસ છે વણઊકલ્યો

સુશાંત સિંહ રાજપૂત બહેન સાથે

સુશાંત સિંહ રાજપૂત બહેન સાથે


સુશાંત સિંહ રાજપૂતના અવસાનને ચાર વર્ષ વીતી ગયાં છે અને હજી સુધી એ કેસ ઉકેલાયો નથી. ૨૦૨૦ની ૧૪ જૂને સુશાંતે બાંદરાના તેના ઘરે કથિતરૂપે સુસાઇડ કર્યું હતું. જોકે તેની ચાર બહેનો અને તેના પિતા અને તેના ફૅન્સ સુશાંત સાથે એ દિવસે શું થયું હતું એ જાણવા માગે છે. ગઈ કાલે સુશાંતની ડેથ-ઍનિવર્સરી નિમિત્તે તેના પરિવારે પૂજા અને પ્રાર્થનાનું આયોજન કર્યું હતું. સાથે જ સુશાંતના નામે અન્નદાન પણ કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું કે ‘ભાઈ, તું અમને છોડીને ગયો એને ચાર વર્ષ પસાર થઈ ગયાં છે. આમ છતાં આજ દિન સુધી અમને જાણ નથી થઈ કે ૨૦૨૦ની ૧૪ જૂને શું થયું હતું. તારું અવસાન હજી પણ રહસ્ય બનેલું છે. સત્ય જાણવા માટે મેં ઑથોરિટીને અનેક વખત વિનંતી કરી છે. મારી ધીરજ હવે ખૂટી રહી છે. આજે હવે છેલ્લી વખત હું દરેકને પૂછવા માગું છું કે તમે તમારા દિલ પર હાથ રાખીને પૂછો કે શું અમને એ જાણવાનો અધિકાર નથી કે સુશાંત સાથે શું થયું હતું? અમારી મદદ કરો.’


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2024 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK