Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મૅરેજ બાદ ધર્મપરિવર્તન નહીં કરે સોનાક્ષી

મૅરેજ બાદ ધર્મપરિવર્તન નહીં કરે સોનાક્ષી

23 June, 2024 10:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોનાક્ષી સાથે દીકરા ઝહીરના સંબંધ દિલના ગણાવીને પિતા ઇકબાલ રતનસીએ કહ્યું…

ઝહીરના પિતા ઇકબાલ રતનસી

ઝહીરના પિતા ઇકબાલ રતનસી


સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલનાં આજે રજિસ્ટર મૅરેજ થવાનાં છે. એ વિશે ઝહીરના પિતા ઇકબાલ રતનસી જણાવે છે કે લગ્ન બાદ સોનાક્ષી ધર્મપરિવર્તન નહીં કરે. ઘણા વખતથી બન્નેનાં લગ્નની ચર્ચા ચાલી રહી હતી. સોનાક્ષીની મેંદી-સેરેમની યોજાઈ ગઈ હતી અને એના ફોટો તેના ફ્રેન્ડ્સે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે. એ પહેલાં બન્નેના પરિવારે ભેગા મળીને ડિનર કર્યું હતું.




હવે ઝહીરના પિતા ઇકબાલ રતનસી કહે છે, ‘સોનાક્ષીનું ધર્મપરિવર્તન નહીં થાય એટલી હું ખાતરી આપું છું. આ તો દિલનો સંબંધ છે અને એમાં ધર્મને કાંઈ લેવા-દેવા નથી. હું માણસાઈમાં માનું છું. હિન્દુ ધર્મમાં ભગવાન કહેવાય અને મુસ્લિમમાં અલ્લાહ કહેવાય, પરંતુ આપણે છીએ તો બધા ઇન્સાન જ ને. ઝહીર-સોનાક્ષીને અમારા આશીર્વાદ.’


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2024 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK