Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રેયા ઘોષાલના ફૅન્સ કેમ થયા નારાજ?

શ્રેયા ઘોષાલના ફૅન્સ કેમ થયા નારાજ?

29 June, 2023 03:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ગીતને અરિજિત સિંહે પણ ગાયું છે

શ્રેયા ઘોષાલ

શ્રેયા ઘોષાલ


‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના ગીત ‘તુમ ક્યા મિલે’માં શ્રેયા ઘોષાલને પૂરતી ક્રેડિટ ન આપતાં તેના ફૅન્સ નારાજ થયા છે. આ ગીતને અરિજિત સિંહે પણ ગાયું છે. ગીતની ક્રેડિટમાં શ્રેયાને ઇગ્નૉર કરતાં તેના ફૅન્સ સોશ્યલ મીડિયામાં ભડકી ગયા છે. મંગળવારે કરણે ઇન્સ્ટાગ્રામ પર આ રોમૅન્ટિક સૉન્ગની રિલીઝની તારીખ જાહેર કરી હતી. એમાં કરણે તેની ડ્રીમ ટીમમાં માત્ર પ્રીતમ, અમિતાભ ભટ્ટાચાર્ય અને અરિજિત સિંહનાં નામનો જ ઉલ્લેખ કર્યો હતો. એથી શ્રેયાના ફૅન્સ કરણ પર ભડક્યા છે. સોશ્યલ મીડિયામાં એકે લખ્યું કે શ્રેયા ઘોષાલનું નામ ડ્રીમ ટીમમાં કેમ નથી? તેનો અવાજ ઓળખવા માટે એક ‘હા’ જ પૂરતું છે. માત્ર ટૅગ કરાયું છે અને વિડિયોમાં કેમ નથી? અન્યએ લખ્યું કે પ્રોમોમાં જે ફીમેલ વૉઇસ છે એ કોનો અવાજ છે? શું એ તમારી ડ્રીમ ટીમનો ભાગ નથી?


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2023 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK