Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘જવાન’નું પોતાનું પાત્ર રિયલ લાઇફ ઘટનાથી પ્રેરિત હોવાની જાણ નહોતી સાન્યા મલ્હોત્રાને

‘જવાન’નું પોતાનું પાત્ર રિયલ લાઇફ ઘટનાથી પ્રેરિત હોવાની જાણ નહોતી સાન્યા મલ્હોત્રાને

15 September, 2023 08:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાન્યા મલ્હોત્રાને જાણ નહોતી કે ‘જવાન’માં તેનો રોલ વાસ્તવિક ઘટના પરથી પ્રેરિત હતું. આ ફિલ્મને એટલીએ ડિરેક્ટ કરી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


સાન્યા મલ્હોત્રાને જાણ નહોતી કે જવાનમાં તેનો રોલ વાસ્તવિક ઘટના પરથી પ્રેરિત હતું. આ ફિલ્મને એટલીએ ડિરેક્ટ કરી છે. સાત સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મમાં તે ડૉક્ટર ઈરમના રોલમાં દેખાય છે. ગોરખપુર હૉસ્પિટલની ટ્રૅજેડી અને ડૉક્ટર કા​ફિલ ખાન પરથી સાન્યાનું પાત્ર પ્રેરિત હતું. એ વિશે સાન્યાએ કહ્યું કે ‘મને પણ એ વિશે હાલમાં જ જાણ થઈ છે. શૂટિંગ વખતે મને પણ ખબર નહોતી. હું એટલું કહીશ કે ઍટલીનું યુનિવર્સ અનોખું છે. પોતાની ફિલ્મો માટે ઍટલીનું વિઝન સૉલિડ છે કે કેટલાક સીનને તેઓ ચોક્કસ પ્રકારે દેખાડવા માગે છે. એથી મારા માટે એ પડકારજનક પાત્ર હતું જેણે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી હતી. ચોક્કસ સીને મારા પર અસર કરી હતી. સરનું ડિરેક્શન ખૂબ સુંદર હતું. એ વાસ્તવિક દેખાતું હતું. રીલ અને રિયલની વચ્ચેની બાઉન્ડરી પૂરી રીતે ઝાંખી હતી.’


327.88



અત્યાર સુધી આટલા કરોડ રૂપિયાનો હિન્દી ભાષામાં બિઝનેસ કર્યો શાહરુખ ખાનની ‘જવાન’એ.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2023 08:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK