Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું લાઇફના એ સ્ટેજ પર છું જ્યાં લોકો સાથે કોઈ વિવાદ કરવાનું નથી ગમતું

હું લાઇફના એ સ્ટેજ પર છું જ્યાં લોકો સાથે કોઈ વિવાદ કરવાનું નથી ગમતું

28 July, 2024 01:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ઍનિમલ’ની ટીકા પર પહેલી વખત બોલ્યો રણબીર

રણબીર કપૂર

રણબીર કપૂર


રણબીર કપૂરની ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ઍનિમલ’ને લઈને ખૂબ વિવાદ થયો હતો. લોકોએ એ ફિલ્મને મહિલાવિરોધી ફિલ્મ ગણાવી હતી. હવે એના પર આટલા વખત બાદ રણબીરે જણાવ્યું કે તે લાઇફના એવા સ્ટેજ છે પર છે જ્યાં લોકો સાથે વિવાદ કરવાની તેને ઇચ્છા નથી. એ વિશે રણબીર કહે છે, ‘સોશ્યલ મીડિયા પર આ ફિલ્મે તો ખૂબ કેર વર્તાવ્યો હતો. લોકોને તો ચર્ચા કરવા માટે કોઈ વિષય જોઈતો જ હોય છે. તેમણે ફિલ્મને મહિલાવિરોધી ગણાવી હતી. તેઓ એ ભૂલી ગયા કે આ ફિલ્મ બનાવવા માટે લોકોએ કેટલી મહેનત કરી છે. કેટલાક લોકોએ મને કહ્યું કે મારે આ ફિલ્મ નહોતી કરવી. જે લોકોને ફિલ્મ પસંદ નથી પડી તેમને મેં કહ્યું કે માફ કરજો, હવે વધુ સારું પર્ફોર્મ કરવાનો પ્રયાસ કરીશ. હું લાઇફમાં એવા પડાવ પર પહોંચી ગયો છું જ્યાં હવે મને કોઈ સાથે વિવાદ કરવાનું ગમતું નથી. મેં જ્યારે પહેલી વખત ‘ઍનિમલ’ની સ્ટોરી સાંભળી ત્યારે હું ડરી ગયો હતો. મને વિચાર આવ્યો કે મેં અત્યાર સુધી ભજવેલાં તમામ પાત્રો કરતાં આ રોલ વિરોધી છે. મારી એ ઇમેજ સાથે એક્સપરિમેન્ટ કરવા માટે જ મેં ફિલ્મ કરવાની હા પાડી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2024 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK