Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજનીતિ 2 માટે થઈ જાઓ તૈયાર

રાજનીતિ 2 માટે થઈ જાઓ તૈયાર

06 June, 2024 10:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજય દેવગન, કૅટરિના કૈફ, મનોજ બાજપાઈ અને નાના પાટેકર ફરી જોવા મળી શકે છે પ્રકાશ ઝાની ફિલ્મમાં : રણબીર કપૂરના પાત્રનું પહેલા પાર્ટમાં થયું હતું મૃત્યુ

ફિલ્મનો સીન

ફિલ્મનો સીન


પ્રકાશ ઝા હવે ‘રાજનીતિ 2’ લઈને આવી રહ્યા છે. ‘રાજનીતિ’ ૨૦૧૦ની ૪ જૂને રિલીઝ થઈ હતી. સંજોગની વાત છે કે લોકસભાના ઇલેક્શનનું રિઝલ્ટ પણ ગઈ કાલે હતું. ૧૪ વર્ષ બાદ હવે આ ફિલ્મની સીક્વલની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે. પહેલી ફિલ્મમાં અજય દેવગન, કૅટરિના કૈફ, મનોજ બાજપાઈ, અર્જુન રામપાલ અને નાના પાટેકર જોવા મળ્યા હતા અને સીક્વલમાં પણ તેઓ જોવા મળે એવી શક્યતા છે. રણબીર કપૂરનું પાત્ર પહેલા પાર્ટમાં મૃત્યુ પામ્યું હતું એથી તેના ચાન્સ ઓછા છે. આ ફિલ્મમાં કૅટરિનાએ સોનિયા ગાંધી પરથી આધારિત પાત્ર ભજવ્યું હતું. સીક્વલ વિશે વાત કરતાં પ્રકાશ ઝા કહે છે, ‘સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે. ‘રાજનીતિ’ની સીક્વલનો સમય હવે આવી ગયો છે. આપણે પહેલા પાર્ટમાં જે જોયું હતું એના કરતાં ઘણું બધું બીજા પાર્ટમાં જોવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2024 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK