Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘આદિપુરુષ’ ફસાઈ વિવાદના વમળમાં

‘આદિપુરુષ’ ફસાઈ વિવાદના વમળમાં

06 April, 2023 04:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવા પોસ્ટરમાં જનોઈ ન હોવાથી દાખલ થયો એફઆઇઆર

‘આદિપુરુષ’

‘આદિપુરુષ’


પ્રભાસ અને ક્રિતી સૅનનની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ના નવા પોસ્ટરને લઈને એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. ફિલ્મ ૧૬ જૂને હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં સૈફ અલી ખાન અને સની સિંહ પણ જોવા મળશે. રામચરિત માનસમાં દર્શાવવામાં આવેલા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના જીવનને આ ફિલ્મમાં દેખાડવામાં આવશે. રામનવમીના દિવસે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. એને જોતાં સંજય દીનાનાથ તિવારીએ મુંબઈ હાઈ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. તે પોતાને સનાતન ધર્મનો ઉપદેશક જણાવે છે. તેનું માનવું છે કે પોસ્ટરમાં પ્રભાસના પાત્ર ભગવાન શ્રીરામના કૉસ્ચ્યુમ હિન્દુ શાસ્ત્રમાં જે પ્રકારે વર્ણવવામાં આવ્યા છે એના કરતાં અલગ છે. સાથે જ એમાં જનોઈ પણ નથી ધારણ કરેલી, જેને સદીઓથી સનાતન ધર્મમાં અનુસરવામાં આવી છે. આ જ કારણ છે કે તેણે ફરિયાદ કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2023 04:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK