Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > AAP નેતા રાઘવ ચડ્ઢા સાથે લગ્નને લઈ પરિણીતિએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

AAP નેતા રાઘવ ચડ્ઢા સાથે લગ્નને લઈ પરિણીતિએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Published : 29 March, 2023 12:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પરિણીતિ ચોપરા(Parineeti Chopra) એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન પૅપરાજીએ અભિનેત્રીને તેના અને રાઘવ ચડ્ઢા (Raghav Chadha) ના સંબંધને લઈ સવાલ કર્યો હતો. સવાલ સાંભળીને પરિણીતિના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતાં.

પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરા


અભિનેત્રી પરિણીતિ ચોપરા(Parineeti Chopra)હાલમાં તેની પર્સનલ લાઈફને લઈ ખુબ જ ચર્ચામાં છે. પરિણીતિનું નામ આમ આદમી પાર્ટી(Aam Aadami Party)ના સાંસદ રાઘવ ચડ્ઢા (Raghav Chadha)સાથે જોડવામાં આવી રહ્યું છે. આ સાથે જ અટકળો શરૂ થઈ છે કે બંને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)ના નેતા સંજીવ અરોરાએ પણ ટ્વિટર પર બંનેના સંબંધની પુષ્ટી કરી છે. સંજીવ અરોરાએ ગત રોજ ટ્વિટ કરી બંનેને શુભકામનાઓ પાઠવી હતી. એવામાં આ મામલે હવે પરીણિતિની પ્રતિક્રિયા સામે આવી છે. 


સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, થયું એવું કે પરિણીતિ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન પૅપરાજીએ અભિનેત્રીને તેના અને રાઘવ ચડ્ઢાના સંબંધને લઈ સવાલ કર્યો હતો. સવાલ સાંભળીને પરિણીતિના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતાં. પૅપરાજીના સવાલ પર પરિણીતિ ખુલીને કંઈ ના બોલી પણ તેના ચહેરા પર છલકાતું સ્મિત ઘણું બધુ કહી ગયું. 



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)


નોંધનીય છે કે વિરલ ભાયાણીના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં પરિણીતિને એરપોર્ટ પર તરફ જતી જોઈ શકાય છે. આ દરમિયાન પૅપરાજી તેણીને પૂછે કે મૅમ જે સમાચાર આવી રહ્યાં છે એ સાચા છે? આના પર પરિણીતિ સ્મિત કરવા લાગે છે. પૅપરાજીએ કહે છે કે `તમે બ્લશ કરી રહ્યાં છો, કંઈક તો કહો.` ત્યાર બાદ પરિણીતિ કારમાં બેસી ગઈ અને હસતાં હસતાં બોલી કે `થેન્ક્યુ! બાય, ગુડનાઈટ`. 


આ પણ વાંચો: પરિણીતિ ચોપરા અને AAP નેતા રાઘવ ચડ્ઢાના સંબંધ પર લાગી મહોર, જુઓ આ ટ્વિટ

આ વીડિયો પર યુઝર્સે રસપ્રદ પ્રતિક્રિયા આપી છે. પરિણીતિના ચાહકોની ખુશીનો પાર નથી. એક યુઝરે લખ્યું કે `ચહેરો જ બોલી રહ્યો છે આ સમાચાર સાચા છે.` જ્યારે બીજા યુઝરે લખ્યું કે ક્યારે ક્યારેક માણસની ખામોશી જ તેનો જવાબ હોય છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે `કેટલી શરમાઈ છે.`

 

 

 

 


 

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2023 12:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK