તેની આ ખુશીનું કારણ રૉકી રંધાવા હતો
રણવીર સિંહ
રણવીર સિંહ ગઈ કાલે ખૂબ જ ખુશ હતો. તેની આ ખુશીનું કારણ રૉકી રંધાવા હતો. કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવામાં આવેલી ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ની રિલીઝને ગઈ કાલે એક વર્ષ થયું હતું. આ ફિલ્મમાં રણવીર અને આલિયા ભટ્ટની સાથે ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમીએ કામ કર્યું હતું. ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેમ જ ધર્મેન્દ્ર અને શબાના આઝમીની કિસ પણ ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી. ફિલ્મને એક વર્ષ થતાં એ દરમ્યાનનો ફોટો શૅર કરીને રણવીરે કૅપ્શન આપી હતી કે ‘ઍનિવર્સરીનો દિવસ ખૂબ જ સ્પેશ્યલ હોય છે. તમે દરેકે અમારી ફિલ્મને ખૂબ જ પ્રેમ આપ્યો હતો. સાચે હું ખૂબ જ એટલે ખૂબ જ ખુશ છું. તમારા બધાનો આભાર અને દરેકને રૉકીવાળી જપ્પી. પ્રેમ છે તો બધું છે.’

