Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર નહીં, આર. માધવન ભજવશે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો રોલ

રણવીર નહીં, આર. માધવન ભજવશે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો રોલ

01 August, 2024 11:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણવીર સિંહ આ ફિલ્મમાં કયો રોલ ભજવવાનો છે એ વિશે માહિતી નથી

આર. માધવન

આર. માધવન


દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો રોલ રણવીર સિંહ ભજવશે એવી ચર્ચા હતી. હવે સાંભળવા મળ્યું છે કે ડિરેક્ટર આદિત્ય ધરની આગામી ફિલ્મમાં એ રોલ રણવીર નહીં પરંતુ આર. માધવન ભજવશે. રણવીર સિંહ આ ફિલ્મમાં કયો રોલ ભજવવાનો છે એ વિશે માહિતી નથી. પોતાના આ પાત્રને લઈને તો આર. માધવન પણ એક્સાઇટેડ છે. અજિત ડોભાલની યુવાનીના સમયને આ ફિલ્મમાં દેખાડવામાં આવશે. આ ફિલ્મને લઈને ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. એ ફિલ્મમાં સંજય દત્ત, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મનું શૂટિંગ પચીસ જુલાઈથી શરૂ કરવામાં આવ્યું છે. આ એક ઍક્શન-થ્રિલર ફિલ્મ રહેશે જેમાં ભારત-પાકિસ્તાનના સંબંધો પર પણ પ્રકાશ પાડવામાં આવશે. અગાઉ આદિત્ય ધરે ૨૦૧૯માં આવેલી ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં પણ અજિત ડોભાલની લાઇફને દેખાડી હતી. એ ફિલ્મમાં પરેશ રાવલે ગોવિંદ ભારદ્વાજ નામનું પાત્ર ભજવ્યું હતું, જે અજિત ડોભાલની લાઇફ પર આધારિત હતું. 


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2024 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK