Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નજીવનને વધુ એક ચાન્સ આપ્યો નવાઝુદ્દીને?

લગ્નજીવનને વધુ એક ચાન્સ આપ્યો નવાઝુદ્દીને?

27 March, 2024 06:42 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આલિયાએ આ ફોટો શૅર કરીને જણાવ્યું કે અમારાં લગ્નને ૧૪ વર્ષ થયાં છે અને અમે સેલિબ્રેટ કરી રહ્યાં છીએ.

નવાઝુદ્દીન અને તેની પત્ની આલિયા

નવાઝુદ્દીન અને તેની પત્ની આલિયા


નવાઝુદ્દીન પોતાના લગ્નજીવનને વધુ એક ચાન્સ આપી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. નવાઝુદ્દીન અને તેની પત્ની આલિયાએ લગ્નજીવનમાંથી અલગ થવાનું નક્કી કર્યું હતું. આલિયાએ મીડિયામાં નવાઝુદ્દીન વિરુદ્ધ ઘણા આરોપ પણ મૂક્યા હતા. ૨૦૨૩ના માર્ચમાં આલિયાએ કહ્યું હતું કે નવાઝુદ્દીને મને અને અમારાં બાળકો શોરા અને યાનીને ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં. બાળકોની કસ્ટડીને લઈને પણ ઘણો વિવાદ થયો હતો અને નવાઝુદ્દીને પત્ની વિરુદ્ધ બદનક્ષીનો દાવો પણ કર્યો હતો. જોકે તેમની ઍનિવર્સરી હોવાથી આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં સંપૂર્ણ ફૅમિલી જોવા મળી રહ્યું છે. આલિયાએ આ ફોટો શૅર કરીને જણાવ્યું કે અમારાં લગ્નને ૧૪ વર્ષ થયાં છે અને અમે સેલિબ્રેટ કરી રહ્યાં છીએ. આ ફોટોને જોઈને લાગે છે કે નવાઝુદ્દીને લગ્નજીવનને વધુ એક ચાન્સ આપ્યો હશે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2024 06:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK