કોઈ ખરાબ વર્તન કરે તો તેના માટે શું વિચારે છે ફારાહ ખાન?
ફારાહ ખાન કુંદર
ફારાહ ખાન કુંદર કોઈ દિવસ કોઈની સાથે બદલો નથી લેતી પરંતુ મનમાં તેમને શ્રાપ આપે છે કે તેમની ફિલ્મો ફ્લૉપ થઈ જાય. ફારાહ અને અનિલ કપૂર નેટફ્લિકસ પર આવતા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં પહોંચ્યાં હતાં. એ શોમાં બન્નેએ અનેક જાણી-અજાણી બાબતો પર પ્રકાશ પાડ્યો છે. સાથે જ ધમાલ-મસ્તી પણ કરી છે. એ શોમાં ફારાહને પૂછવામાં આવ્યું કે જો કોઈ તેની સાથે ખરાબ કરે તો તે માફ કરે છે કે બદલો લે છે? એનો જવાબ આપતાં ફારાહે કહ્યું, ‘હું કોઈની સાથે વેર નથી લેતી. મન મેં ઐસે બોલતી હૂં કિ તેરી વાટ લગ જાએ. મારી જુબાન કાળી છે. જો કોઈ ખરેખર મારી સાથે ખૂબ ખરાબ કરે તો હું તેને શ્રાપ આપું છું કે તેરી અગલી ૩-૪ ફિલ્મ ફ્લૉપ હો જાએ. જેમની ફિલ્મો ફ્લૉપ થઈ છે એની પાછળનું કારણ હવે તમે સમજી શકો છો.’
તો આ જ સવાલનો જવાબ આપતાં અનિલ કપૂર કહે છે, હું સારું કામ કરીને બદલો વાળું છું.