Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આદિત્ય ચોપડાને સાંત્વના આપવા ઊમટ્યું બૉલીવુડ

આદિત્ય ચોપડાને સાંત્વના આપવા ઊમટ્યું બૉલીવુડ

Published : 23 April, 2023 02:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આદિત્ય ચોપડાનાં મમ્મી પમેલા ચોપડાનું તાજેતરમાં નિધન થયું હતું એટલે આદિને સાંત્વના આપવા તેના ઘરે બૉલીવુડની અનેક સેલિબ્રિટી પહોંચી હતી.

આદિત્ય ચોપડાને સાંત્વના આપવા ઊમટ્યું બૉલીવુડ

આદિત્ય ચોપડાને સાંત્વના આપવા ઊમટ્યું બૉલીવુડ


આદિત્ય ચોપડાનાં મમ્મી પમેલા ચોપડાનું તાજેતરમાં નિધન થયું હતું એટલે આદિને સાંત્વના આપવા તેના ઘરે બૉલીવુડની અનેક સેલિબ્રિટી પહોંચી હતી. ૭૪ વર્ષનાં પમેલા ચોપડા યશ ચોપડાનાં પત્ની હતાં. તેમણે અનેક ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ પાથર્યો હતો. સાથે જ કેટલીક ફિલ્મોને કો-પ્રોડ્યુસ પણ કરી હતી. તો અમુક ફિલ્મોની સ્ટોરી પણ લખી હતી. પમેલા ચોપડા થોડા સમયથી બીમાર હતાં અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આખરે તેમણે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા હતા. આ વાતની લોકોને જાણ થતાં સોશ્યલ મીડિયામાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે જ તેમની અંતિમ ઝલક જોવા માટે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંથી અનેક સેલિબ્રિટીઝ પહોંચી હતી. હવે તેમના નિધન બાદ ફરી એક વખત ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો આદિત્ય ચોપડાના ઘરે તેને મળવા ગયા હતા. અજય દેવગન તેની વાઇફ કાજોલ સાથે, રણબીર કપૂર તેની વાઇફ આલિયા સાથે અને અનુપમ ખેર તેમનાં વાઇફ કિરણ ખેર સાથે પહોંચ્યા હતા. તો જયા બચ્ચન તેમની દીકરી શ્વેતા બચ્ચન સાથે પહોંચ્યાં હતાં. 


જયા બચ્ચનને શું કામ કરવામાં આવ્યાં ટ્રોલ




જયા બચ્ચનને ફરી પાછાં ટ્રોલ કરવામાં આવ્યાં હતાં. તેઓ આદિત્ય ચોપડાના ઘરે પહોંચ્યાં એ વખતે પાપારાઝી રસ્તામાં ઊભા હતા એટલે તેમના પર જયા બચ્ચન રોષે ભરાયાં હતાં અને ફોટો ક્લિક કરવાની ના પાડી હતી. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એ વિડિયોમાં તેમનું ખરાબ વર્તન દેખાઈ રહ્યું છે. તો અન્ય એક વિડિયોમાં જયા બચ્ચન મીડિયાને કહી રહ્યાં છે કે ‘બહોત હો ગયા અભી, પીછે જાઇએ.’
આ વિડિયો વાઇરલ થતાં સૌકોઈ તેમની નિંદા કરી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં યુઝરે કમેન્ટ કરી કે ‘તેઓ હંમેશાં મીડિયા સાથે અપમાનભર્યું વર્તન કરે છે છતાં બચ્ચન પરિવારને મીડિયા સન્માન આપે છે.’
અન્યએ લખ્યું કે તેમનામાં નાહકનો આટલો બધો ઘમંડ શાનો છે? 
અન્ય એકે લખ્યું કે ‘જો આ વૃદ્ધ મહિલા ધનવાન ન હોત તો કોઈ તેમને જોવાની તસ્દી પણ ન લેત. ખરેખર ખૂબ ખરાબ બાબત છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2023 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK