Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલાઈકા અરોરાના પિતાએ અગાસી પરથી ઝંપલાવીને કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસ

મલાઈકા અરોરાના પિતાએ અગાસી પરથી ઝંપલાવીને કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસ

11 September, 2024 02:56 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બાંદરામાં પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે

ફાઇલ તસવીર

BREAKING NEWS

ફાઇલ તસવીર


Malaika Arora`s Father Commits Suicide: મલાઈકા અરોરાને લઈને દુખદ સમાચાર આવી રહ્યા છે. ખરેખર, અભિનેત્રીના પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બાંદરામાં પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે, આ ઘટના સવારે ૯ વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ સમાચાર બાદ મલાઈકા અરોરા પૂણેથી મુંબઈ આવવા રવાના થઈ ગઈ છે.


હાલમાં અભિનેત્રીના પિતાના મૃતદેહને બાબા હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. તેમણે કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.



પૂર્વ પતિ અરબાઝ ખાન મલાઈકાના ઘરે પહોંચ્યો
આ સમાચાર આવતા જ મલાઈકા અરોરાનો પૂર્વ પતિ અરબાઝ ખાન અભિનેત્રીના ઘરે પહોંચી ગયો છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકા અરોરાના પિતાએ છઠ્ઠા માળની ગૅલેરી પરથી કૂદીને આત્મહત્યા કરી છે. બાંદરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, હાલ પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાના પિતા કેટલાક દિવસોથી બીમાર હતા.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


મલાઈકા અરોરા ઘરે નહોતી
અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોરા ઘરે ન હતી. આજે સવારે તે પુણેમાં હતી. મલાઈકાને આ ઘટનાની જાણકારી મળતા જ તે તરત જ પૂણેથી મુંબઈ આવવા રવાના થઈ ગઈ હતી. આ સમાચાર પછી ઘણા સેલેબ્સ પણ અભિનેત્રીના ઘરે પહોંચી રહ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)

ગયા વર્ષે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા
જુલાઈ 2023 માં, મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાને મુંબઈની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અભિનેત્રી હોસ્પિટલમાં તેની માતા જોયસને મળવા પણ જોવા મળી હતી. જો કે અનિલ અરોરાને કયા કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. મલાઈકા કે તેના પરિવારે અનિલ અરોરાના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરાના પિતા અનિલનો જન્મ પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં થયો હતો. પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવતો અનિલ મર્ચન્ટ નેવીમાં ઓફિસર પણ રહી ચૂક્યો છે. તેમણે જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા હતા, જેઓ મલયાલમ ખ્રિસ્તી ધર્મના હતા, જેમની સાથે તેમને બે પુત્રીઓ મલાઈકા અરોરા અને અમૃતા અરોરા હતી. હાલમાં અરોરા પરિવાર ઘેરા આઘાતમાં છે.

તાજેતરમાં મલાઈકાના નજીકના સૂત્રોએ માહિતી આપી છે કે મલાઇકાના પિતાએ આપઘાત ન કર્યો હોવો જોઈએ, પણ આ ચોક્કસ અકસ્માત હશે.

હવે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે આખરે મલાઈકા અરોરાના પિતા અનિલે આત્મહત્યા કેમ કરી? છેવટે, તેણે આ રીતે મૃત્યુને પસંદ કરવાનું કારણ શું હતું? હાલમાં, પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને દરેક લેટેસ્ટ અપડેટની રાહ જોઈ રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2024 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK