Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગમેતે થઈ જાય, કેટલાક લોકો સાથે જોડાવું મને પસંદ નથી

ગમેતે થઈ જાય, કેટલાક લોકો સાથે જોડાવું મને પસંદ નથી

03 July, 2024 12:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોનાક્ષી સિંહાનાં લગ્નમાં કેમ હાજરી નહોતી આપી એ વિશે લવ સિંહાએ તોડી ચુપકી

લવ સિંહા

લવ સિંહા


સોનાક્ષી સિંહાના ભાઈ લવ સિંહાએ તેની બહેનનાં લગ્નમાં હાજરી કેમ નહોતી આપી એ વિશે વાત કરી છે. સોનાક્ષીએ ઝહીર ઇકબાલ સાથે ૨૩ જૂને મુંબઈમાં સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ હેઠળ લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં કુશે હાજરી આપી હતી, પરંતુ એ જાહેરમાં વધુ જોવા નહોતો મળ્યો. જોકે તેનો બીજો ભાઈ લવ લગ્નમાં ગેરહાજર હતો. તે લગ્નમાં હાજર નહોતો એ માટે ઝહીર ઇકબાલના પિતાનો બિઝનેસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઝહીરના પિતા જે પૉલિટિશ્યનને ઓળખે છે તેની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમ જ દુબઈમાં ઝહીરના પિતાનો જે બિઝનેસ છે એ વિશે પણ તેને ઘણા સવાલ હતા. લવનું કહેવું છે કે તેના માટે તેની ફૅમિલી પહેલાં છે, પરંતુ આ સિવાય તેના વિશે જે ખોટા સમાચાર ફેલાવવામાં આવે છે એ ન ફેલાવવા જોઈએ. ગેરહાજરી વિશે લવ સિંહાએ ટ્વીટ કર્યું હતું કે ‘મેં કેમ લગ્નમાં હાજરી નહોતી આપી એનું કારણ ખૂબ જ ક્લિયર છે. કેટલાક લોકો સાથે ગમે તે થઈ જાય, પરંતુ હું તેમની સાથે જોડાવાનું પસંદ નહીં કરું. મને એ વાતની ખુશી છે કે કેટલાક લોકોએ રિસર્ચ કર્યું છે અને એ વિશે વાતો કરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2024 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK