Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પર્સનલ લાઇફ પર થતી ચર્ચાથી કોઈ ફરક નથી પડતો રાઘવ જુયાલને

પર્સનલ લાઇફ પર થતી ચર્ચાથી કોઈ ફરક નથી પડતો રાઘવ જુયાલને

Published : 22 July, 2024 11:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બન્ને સલમાન ખાનની ફિલ્મ ‘કિસીકા ભાઈ કિસીકી જાન’માં દેખાયાં હતાં

રાઘવ જુયાલ

રાઘવ જુયાલ


રાઘવ જુયાલ અને શહનાઝ ગિલ વચ્ચે અફેર હોવાની ચર્ચા ઘણા વખતથી ચાલી રહી છે. આ બન્ને સલમાન ખાનની ફિલ્મ ‘કિસીકા ભાઈ કિસીકી જાન’માં દેખાયાં હતાં. ત્યારથી તેમના રિલેશનની અફવા ઊડે છે. જોકે બન્ને પોતાને સારા ફ્રેન્ડ્સ કહે છે. પર્સનલ લાઇફ પર થતી ચર્ચા વિશે રાઘવ કહે છે, ‘ખરું કહું તો એનાથી મને કોઈ ફરક નથી પડતો. ઍક્ટર બનવા માટે મેં ખૂબ મહેનત કરી છે. હું રાતોરાત સ્ટાર નથી બન્યો. આવી બધી હેડલાઇન્સથી હું સ્ટાર નથી બન્યો. મારી આર્ટને કારણે ચર્ચા થાય છે. સાથે જ હેડલાઇન્સમાં આવવા માટે હું કોઈના નામનો ઉપયોગ નથી કરતો. મારી ઍક્ટિંગ, મારી ટૅલન્ટ અને મારા કામની ચર્ચા થાય એવી મારી ઇચ્છા છે; ન કે મારી પર્સનલ લાઇફની. આ જ કામ હું ૧૪ વર્ષથી કરતો આવ્યો છું અને આગળ પણ કરતો રહીશ.’


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2024 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK