આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે.
કિયારા અડવાણી
શાહરુખ ખાનની ‘જવાન’માં કિયારા અડવાણી નહીં જોવા મળે. અગાઉ એવી ચર્ચા હતી કે આ ફિલ્મમાં કિયારા નાનકડી ભૂમિકામાં દેખાવાની છે. આ ફિલ્મમાં શાહરુખની સાથે નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા અને સંજિતા ભટ્ટાચાર્ય પણ જોવા મળશે. આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. છેલ્લા થોડા દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે આ ફિલ્મના એક ગીતમાં કિયારા દેખાવાની છે. જોકે ઇન્ડસ્ટ્રીનાં નજીકનાં સૂત્રો મુજબ આ માત્ર નરી અફવા છે. કોઈ ગીતમાં કિયારા નથી અને તે આ ફિલ્મમાં પણ નથી દેખાવાની. ‘જવાન’ દિગ્ગજ ફિલ્મ હોવાથી એને લઈને દરરોજ કોઈ ને કોઈ અફવા સાંભળવા મળે છે. એમાં કોઈ નવાઈ નથી.