Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મોંજોલિકા-રૂહબાબાનું થશે મિલન

મોંજોલિકા-રૂહબાબાનું થશે મિલન

13 February, 2024 06:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ભૂલભુલૈયા 3’માં કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સાથે જોવા મળશે

કાર્તિક આર્યન , વિદ્યા બાલન

કાર્તિક આર્યન , વિદ્યા બાલન


‘ભૂલભુલૈયા 3’માં હવે કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સાથે જોવા મળશે. ‘ભૂલભુલૈયા’માં અક્ષયકુમાર અને વિદ્યા બાલને કામ કર્યું હતું. આ ફિલ્મમાં મોંજોલિકાના પાત્રમાં વિદ્યા બાલન જોવા મળી હતી અને તેનું પાત્ર ખૂબ જ ફેમસ થયું હતું. આ ફિલ્મની સીક્વલમાં કાર્તિક આર્યને કામ કર્યું હતું. તેણે રૂહબાબાનું પાત્ર ભજવ્યું હતું. તેના પાત્રને પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ભૂષણકુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ સિરીઝની ત્રીજી ફિલ્મમાં હવે કાર્તિક આર્યન અને વિદ્યા બાલન બન્ને જોવા મળશે. આ ત્રીજી ફિલ્મને અનીસ બઝ્મી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને આ વર્ષે દિવાળી પર રિલીઝ કરવામાં આવશે. કાર્તિક અને વિદ્યા બાલને એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આ વિશે માહિતી આપી હતી. કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘આ ફાઇનલ થઈ ગયું છે. ઓરિજિનલ મોંજોલિકા હવે ‘ભૂલભુલૈયા’ની  દુનિયામાં ફરી આવી રહી છે. વિદ્યા બાલનનું સ્વાગત કરવા માટે હું ખૂબ જ ઉત્સુક છું. આ દિવાળી ‘ભૂલભુલૈયા 3’ને કારણે ખૂબ જ ધમાકેદાર રહેવાની છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2024 06:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK