Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લોકોની નજરથી દૂર રહેવા ક્યાં જાય છે જાહ્‍‍નવી?

લોકોની નજરથી દૂર રહેવા ક્યાં જાય છે જાહ્‍‍નવી?

15 May, 2024 05:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Airbnb નામની એક વેકેશન રેન્ટલ કંપનીના માધ્યમથી લોકો આ ઘરમાં ફ્રીમાં રહી શકશે.

જાહ્‍‍નવી કપૂર

જાહ્‍‍નવી કપૂર


જાહ્‍‍નવી કપૂર લોકોની નજરથી દૂર રહેવા માટે ચેન્નઈ જતી રહી છે. તેની મમ્મી શ્રીદેવીના ચેન્નઈમાં આવેલા મકાન સાથે તેની અનેક યાદો જોડાયેલી છે. ચાર એકરમાં પથરાયેલા આ મકાનમાં ખૂબ મોટું ગાર્ડન છે અને એ બીચની સામે છે. આ મકાનમાં જાહ્નવી કપૂરનું બાળપણ પસાર થયું છે. Airbnb નામની એક વેકેશન રેન્ટલ કંપનીના માધ્યમથી લોકો આ ઘરમાં ફ્રીમાં રહી શકશે. જોકે એ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને એ હવે ઓપન થઈ ચૂક્યું છે. આ ઘરની સામે એક મોટો ફુવારો છે એની સામે ઊભી રહીને જાહ્‍નવીએ પોતાનો ફોટો શૅર કર્યો છે. આ ફોટો શૅર કરીને જાહ્‍‍નવીએ લખ્યું છે, ‘મારે જ્યારે લોકોની નજરથી દૂર જવું હોય ત્યારે હું આ ઘરે આવું છું.’


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2024 05:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK