Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૂરિયા અને જાહ્‌નવી કપૂરની કર્ણને પડતી મૂકવામાં આવી?

સૂરિયા અને જાહ્‌નવી કપૂરની કર્ણને પડતી મૂકવામાં આવી?

28 June, 2024 12:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાકેશ ઓમપ્રકાશ મેહરા માયથોલૉજિકલ ફિલ્મ ‘કર્ણ’ બનાવી રહ્યા હતા, જેના માટે ૩૫૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું

જાહ્‌નવી કપૂર, સૂરિયા

જાહ્‌નવી કપૂર, સૂરિયા


સાઉથના સુપરસ્ટાર સૂરિયા અને જાહ્‌નવી કપૂરની ‘કર્ણ’ને પડતી મૂકવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. રાકેશ ઓમપ્રકાશ મેહરા માયથોલૉજિકલ ફિલ્મ ‘કર્ણ’ બનાવી રહ્યા હતા, જેના માટે ૩૫૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં કર્ણની ભૂમિકામાં સૂરિયા અને દ્રૌપદીની ભૂમિકામાં જાહ્‌નવી જોવા મળવાની હતી એવી ચર્ચા હતી. તેમની સાથે આ ફિલ્મમાં વિજય વર્મા, અલી ફઝલ અને અવિનાશ તિવારીને પણ પસંદ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી હતી. ફિલ્મના પ્રી-પ્રોડક્શન પાછળ પંદર કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. તેમ જ દરેક ઍક્ટરની લુક-ટેસ્ટ પણ કરવામાં આવી હતી. આ ફિલ્મને લંબાવવામાં આવી હોવાની ચર્ચા ચાલી હતી, પરંતુ કેટલાંક સૂત્રના કહ્યા મુજબ ફિલ્મને પડતી મૂકવામાં આવી છે. સૂરિયા અને જાહ્‌નવીને પણ આ ફિલ્મ પડતી મૂકવામાં આવી હોવાની હિન્ટ મળતાં તેમણે અન્ય પ્રોજેક્ટ પર ફોકસ કરવાનું શરૂ કરી દીધું છે.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2024 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK