Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઑડિશન આપ્યા બાદ રિજેક્ટ થવાનું ખૂબ દુઃખ લાગે છે : નેહા શર્મા

ઑડિશન આપ્યા બાદ રિજેક્ટ થવાનું ખૂબ દુઃખ લાગે છે : નેહા શર્મા

31 October, 2021 09:58 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિયલ લાઇફમાં તે ગ્લૅમર્સ હોવાથી તેને લોકો સિરિયસલી લેતા નથી. તેનું પણ નુસરત ભરૂચા જેવું છે. તેને રિયલ લાઇફને કારણે રિજેક્ટ કરવામાં આવે છે.

નેહા શર્મા

નેહા શર્મા


નેહા શર્માનું કહેવું છે કે ઑડિશન આપ્યા બાદ રિજેક્ટ થવાનું મને ખૂબ દુઃખ લાગે છે. રિયલ લાઇફમાં તે ગ્લૅમર્સ હોવાથી તેને લોકો સિરિયસલી લેતા નથી. તેનું પણ નુસરત ભરૂચા જેવું છે. તેને રિયલ લાઇફને કારણે રિજેક્ટ કરવામાં આવે છે. આ વિશે વાત કરતાં નેહાએ કહ્યું કે ‘હું ઇન્ડસ્ટ્રીમાં ઘણાં વર્ષથી કામ કરી રહી છું, પરંતુ મને એક ક્રેડિબલ ઍક્ટર દ્વારા સિરિયસલી લેવામાં નથી આવતી, કારણ કે હું મૉડલિંગના બૅકગ્રાઉન્ડમાંથી આવું છું. કાસ્ટિંગ ડિરેક્ટરના કહ્યા મુજબ હું ચોક્કસ પ્રકારના પાત્રમાં જ ફિટ બેસું છું અને એથી મારું કામ લિમિટેડ થઈ જાય છે. હું હજી પણ દરેક પ્રોજેક્ટ માટે ઑડિશન આપું છું અને જ્યારે મને રિજેક્ટ કરવામાં આવે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. ડી-ગ્લૅમ રોલ અને પર્ફોર્મન્સ આધારિત રોલ માટે મને પસંદ કરવામાં નથી આવતી. ‘આફત-એ-ઇશ્ક’માં મેં હાઉસ-હેલ્પનું પાત્ર ભજવ્યું છે એની મને ખુશી છે. મને આ ફિલ્મમાં ટૅલન્ટેડ ઍક્ટર્સ દીપક, ઇલા અરુણજી અને અન્યો સાથે કામ કરવાની તક મળી છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2021 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK