‘આર્યા 3’ના ક્રીએટર રામ માધવાણી સુસ્મિતા સેનથી ખૂબ પ્રભાવિત છે. લોકો સાથે તેનું જે વર્તન છે એની તેણે પ્રશંસા કરી છે.
સુસ્મિતા સેન
‘આર્યા 3’ના ક્રીએટર રામ માધવાણી સુસ્મિતા સેનથી ખૂબ પ્રભાવિત છે. લોકો સાથે તેનું જે વર્તન છે એની તેણે પ્રશંસા કરી છે. ‘આર્યા 3’ ત્રીજી નવેમ્બરથી ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થશે. આ શોમાં સુસ્મિતા ડ્રગ્સ માફિયાઓ સાથે લડતી દેખાશે. સુસ્મિતા સાથે કામ કરવાના અનુભવ વિશે રામ માધવાણીએ કહ્યું કે ‘સુસ્મિતાને જાણવી અને તેની સાથે કામ કરવાનો મારો અનુભવ મારી લાઇફનો યાદગાર અનુભવ છે. તેનો સ્ટાર પાવર, એનર્જી અને તેનું વ્યક્તિત્વ અદ્ભુત છે. તે જાજરમાન છે. સેટના લોકોની સાથે જ સેટની બહાર કામ કરતા જેવા કે શેફ અથવા રેસ્ટોરાંના સર્વિસ સ્ટાફ સાથે પણ તેનું વર્તન ઉમળકાભર્યું છે. તેની અંદર એક પ્રકારની અનોખી એનર્જી છે, તે જ્યારે કોઈ રૂમમાં પ્રવેશ કરે છે ત્યારે એ એનર્જી એમાં છવાઈ જાય છે. ધારો કે એક રૂમમાં બસો લોકો છે, પરંતુ તમે જણાવી શકશો કે સુસ્મિતા ક્યારે અંદર આવે છે. તેની પાસેથી હું માણસાઈ વિશે અને તમે જે લોકો સાથે કામ કરો છો કે પછી વાતચીત કરો છો તો તેમના પર પોતાની અસર કેવી રીતે છોડવી એ વિશે પણ હું ઘણુંબધું શીખ્યો છું. તેનું નિરીક્ષણ કરીને હું શીખ્યો છું.’