અપમાન થાય ત્યારે તમે એને ગણતરીમાં જ ન લો તો અપમાન ગણાય જ નહીં, એવું સુસ્મિતા સેનનું માનવું છે
ફાઇલ તસવીર
અપમાન થાય ત્યારે તમે એને ગણતરીમાં જ ન લો તો અપમાન ગણાય જ નહીં, એવું સુસ્મિતા સેનનું માનવું છે. તે હવે જિયો સિનેમા પર આવી રહેલી ‘તાલી’માં જોવા મળવાની છે. લલિત મોદી સાથેના તેના કથિત રિલેશનને લઈને લોકોએ તેને ‘ગોલ્ડ ડિગર’ કહી હતી. એને લઈને હવે સુસ્મિતાએ કહ્યું કે ‘સારું થયું કે એ કમેન્ટ્સ મારા સુધી આવી અને હું ‘ગોલ્ડ ડિગર’ની વ્યાખ્યા બની. અપમાનને ગણતરીમાં લો તો એ અપમાન ગણાય, પણ હું એને ગણકારતી જ નથી. એટલે એનું કોઈ મૂલ્ય જ નથી રહેતું. એવી કેટલીક બાબતો છે જે લોકોનો બિઝનેસ નથી. એ મારે કહેવાની જરૂર નથી કે એ કોઈનો વિષય નથી. જોકે મને એ શબ્દ ખૂબ ગમે છે કે ‘નૉટ યૉર બિઝનેસ’. એ કૂલ શબ્દ છે. તમારી જાણ ખાતર જણાવી દઉં કે હું સિંગલ છું અને એ પણ તમારો બિઝનેસ નથી. નન ઑફ યૉર બિઝનેસ. સાથે જ મારે એ કહેવું પણ સારું લાગે છે કે હું સિંગલ છું. મેં છેવટે જ્યારે એના પર મોટી કમેન્ટ પોસ્ટ કરી તો મારી ફ્રેટર્નિટીના કેટલાક લોકો કહેતા હતા કે ‘અમને અપેક્ષા નહોતી કે સુસ્મિતા એના પર રીઍક્ટ કરશે. તેને એવું કરવાની જરૂર પણ નથી.’ આ મારી ઇચ્છાની વાત છે. મને જ્યારે જરૂર લાગશે ત્યારે હું રિસ્પૉન્ડ કરીશ, નહીં તો નહીં કરું. મને જ્યારે લાગ્યું કે હવે બોલવાનો સમય આવી ગયો છે અને પોતાનો પક્ષ લેવો જોઈએ ત્યારે હું બોલી હતી. સોશ્યલ મીડિયાના સમયની આ જ સમસ્યા છે. કાંઈક થાય અને તરત એનાં રીઍક્શન આવી જાય છે. હું એવી નથી. હું વિચારવાનો સમય લઉં છું. હું જ્યારે તૈયાર હોઉં ત્યારે જ રિસ્પૉન્ડ કરું છું.’