Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘મુન્નાભાઈ 3’ મારે પણ બનાવવી છે, પરંતુ ક્યારે એની ખબર નથી : રાજકુમાર હીરાણી

‘મુન્નાભાઈ 3’ મારે પણ બનાવવી છે, પરંતુ ક્યારે એની ખબર નથી : રાજકુમાર હીરાણી

Published : 31 December, 2023 07:41 AM | Modified : 31 December, 2023 08:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજકુમાર હીરાણીનું કહેવું છે કે ‘મુન્નાભાઈ 3’ બનાવવી છે, પરંતુ એનો સમય ક્યારે આવશે એની હજી પણ તેને ખબર નથી.

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


રાજકુમાર હીરાણીનું કહેવું છે કે ‘મુન્નાભાઈ 3’ બનાવવી છે, પરંતુ એનો સમય ક્યારે આવશે એની હજી પણ તેને ખબર નથી. આ સિરીઝમાં ‘મુન્નાભાઈ એમબીબીએસ’ અને ‘લગે રહો મુન્નાભાઈ’નો સમાવેશ છે. સંજય દત્ત અને અર્શદ વારસીની જોડીને ફિલ્મમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી અને એની હવે દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. એ વિશે પૂછતાં રાજકુમાર હીરાણીએ કહ્યું કે ‘મુન્નાભાઈ 3 સાથે હંમેશાં મારી એ સ્ટ્રગલ રહી છે કે પહેલી બે ફિલ્મ ખૂબ સારી બની છે. મારી પાસે પાંચ અડધી સ્ક્રિપ્ટ છે. મારું માનવું છે કે હું પહેલી બે ફિલ્મના લેવલ જેવી સ્ક્રિપ્ટ પર ન પહોંચી શકું તો હું ત્રીજી ફિલ્મ નહીં બનાવી શકું. મારી પાસે એક એવી સ્ક્રિપ્ટ છે જેના પરથી ફિલ્મ બનાવી શકાય, પરંતુ સમયની સાથે સ્ટોરી જૂની થઈ જાય છે એથી સમય જ કહેશે એ તો. મારી સંજય દત્ત સાથે હંમેશાં વાત થતી રહે છે. તે કહે છે કે ફિલ્મ બનાવવી જોઈએ. હાલમાં જ ‘ડંકી’ રિલીઝ થઈ છે. હવે જૂની સ્ટોરીઓનો પેટારો ખોલીશ. વિચાર તો છે કે એક મુન્નાભાઈ બનાવવી છે, પરંતુ ક્યારે એની મને ખબર નથી.’


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2023 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK