Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લોકો મારી રિલેશનશિપ વિશે વાત કરે એ મને ખૂબ જ ગમે છે

લોકો મારી રિલેશનશિપ વિશે વાત કરે એ મને ખૂબ જ ગમે છે

Published : 28 May, 2024 10:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શહનાઝ ગિલ સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચા વિશે શું કહ્યું ગુરુ રંધાવાએ?

ગુરુ રંધાવા

ગુરુ રંધાવા


ગુરુ રંધાવાને એ વાત ખૂબ જ પસંદ છે કે લોકો તેની ડેટિંગ-લાઇફ વિશે ચર્ચા કરે. તે હાલમાં શહનાઝ ગિલને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. તેમણે એક ગીતમાં સાથે કામ પણ કર્યું છે. શહનાઝ પહેલાં સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશનશિપમાં હતી. જોકે સિદ્ધાર્થના મૃત્યુ બાદ તેને એમાંથી બહાર આવતાં ખૂબ જ સમય લાગ્યો હતો. તે હવે લાઇફમાં આગળ વધી રહી છે. શહનાઝ સાથેની રિલેશનશિપ વિશે પૂછતાં ગુરુ કહે છે, ‘લોકો મારી ડેટિંગ-લાઇફ વિશે વાત કરે તો મને એ ખૂબ જ ગમે છે. ફૅન્સ દુનિયાભરની સુંદર છોકરીઓ સાથે મારું નામ જોડતા રહે છે. મને એ ખૂબ જ પસંદ છે. દરેકને આવું અટેન્શન જોઈતું હોય છે. હું ઇચ્છુ છું કે લોકો મારી લવ-લાઇફ વિશે સતત ચર્ચા કરે. હું હાલમાં કોઈને ડેટ ન કરી રહ્યો હોઉં તો પણ આ સમાચારને કારણે કદાચ હું સાચે જ કોઈને જલદી ડેટ કરીશ. જો કોઈ છોકરી આ વાંચી રહી હોય તો હું સિંગલ છું અને કોઈ છોકરો વાંચી રહ્યો હોય તો હું રિલેશનશિપમાં છું.’


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2024 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK