Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મમાં કોઈ મેસેજ છે કે નહીં એના કરતાં એનો અનુભવ લોકો માટે અગત્યનો હોવો જોઈએ : મિલિંદ સોમણ

ફિલ્મમાં કોઈ મેસેજ છે કે નહીં એના કરતાં એનો અનુભવ લોકો માટે અગત્યનો હોવો જોઈએ : મિલિંદ સોમણ

Published : 11 January, 2023 04:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં અંશુમન ઝાના પિતાના રોલમાં મિલિંદ સોમણ દેખાશે

મિલિંદ સોમણ

મિલિંદ સોમણ


મિલિંદ સોમણનું કહેવું છે કે ફિલ્મમાં ભલે કોઈ મેસેજ ન હોય, પરંતુ એને જોનારા લોકો માટે એ એક ખાસ અનુભવ હોવો જોઈએ. તેની ‘લક્કડબઘ્ઘા’ ૧૩ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. એમાં તેની સાથે રિદ્ધિ ડોગરા અને અંશુમાન ઝા પણ જોવા મળશે. આ ફિલ્મમાં અંશુમન ઝાના પિતાના રોલમાં મિલિંદ સોમણ દેખાશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મ વિશે મિલિંદ સોમણે કહ્યું કે ‘મારા માટે ફિલ્મ એક અનુભવ હોવો જોઈએ. માત્ર એક મેસેજ હોય એટલું પૂરતું નથી. એવો અનુભવ કે જેમાં તાજગી હોય, નવાપણું હોય અને કંઈક એવું કે જે કદી પણ ન જોયું હોય. નહીં તો એ અનુભવ નહીં રહે. સ્ટોરીને, એનાં પાત્રોને અને એની આસપાસની બાબતોને કંઈક નવાપણા સાથે રજૂ કરવી જોઈએ. તમે ભલે એને લગતો મેસેજ પોતાની સાથે લઈ જાઓ કે પછી એમાંથી કોઈ મેસેજ મેળવો છો એ પછીની વાત છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2023 04:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK