Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જલંધર સાથે શું છે શાહરુખની `ડંકી`નું કનેક્શન, ઘરની છત પર બનાવી દીધું પ્લેન

જલંધર સાથે શું છે શાહરુખની `ડંકી`નું કનેક્શન, ઘરની છત પર બનાવી દીધું પ્લેન

Published : 20 December, 2023 05:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Connection Between a House in Jalandhar and Shah Rukh Khan: સામાન્ય ધારણાઓથી જૂદું આ ઘર અને પ્લેન બન્ને પણ રિયલ છે, કમ્પ્યૂટર જનરેટેડ ઈમેજ નથી.

શાહરુખ ખાન (ફાઈલ તસવીર)

શાહરુખ ખાન (ફાઈલ તસવીર)


કી હાઇલાઇટ્સ

  1. જલંધરના આ ઘરનું શાહરુખ ખાન સ્ટારર ડંકી ડિરેક્ટર સાથે કનેક્શન
  2. શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ડંકી અને જલંધર- પંજાબ સાથેનું કનેક્શન.
  3. ઘરની છત પર પ્લેન બનાવવા પાછળનું મૂળ કારણ પંજાબની સંસ્કૃતિ.

Connection Between a House in Jalandhar and Shah Rukh Khan: શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ `ડંકી` માટે હાલ એક અલગ જ પ્રકારનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મ પૂરજોશમાં ગુરુવારે એટલે કે 19 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશનમાં મેકર્સે કોઈપણ કસર બાકી રાખી નથી. હવે એક નવી માહિતી સામે આવી છે, જેને જાણીને તમે પણ આશ્ચર્ય ચકિત રહી જશો. આ ફિલ્મ પંજાબ પર બેઝ્ડ એક ઈમિગ્રેશન ડ્રામા ફિલ્મ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ જલંધરના ખૂબ જ ખાસ ઘરની સ્ટોરી દ્વારા પ્રેરિત છે, જેની છત પર પ્લેન જોવા મળી રહ્યું છે અને આ એ વાતનો પુરાવો આપે છે કે ઘરનો કોઈક સભ્ય હવે વિદેશમાં શિફ્ટ થઈ ગયો છે. સામાન્ય ધારણાઓથી જૂદું આ ઘર અને પ્લેન બન્ને પણ રિયલ છે, કમ્પ્યૂટર જનરેટેડ ઈમેજ નથી.


આ ઘર વિશે બધું જાણવા માટે ફિલ્મ `ડંકી`ના ડિરેક્ટર રાજકુમાર હિરાણી પોતે ત્યાં પહોંચ્યા અને જોયું કે ઘરની ઉપર બનાવેલું એરોપ્લેન પાણીની ટાંકી નથી પરંતુ તેની અંદર બે બેડરૂમ છે. દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ આ ફિલ્મની રસપ્રદ વાર્તા શૅર કરી અને જણાવ્યું કે કેવી રીતે જલંધરના આ ઘરે `ડંકી`ની વાર્તા માટે તેમના મગજમાં ઇમિગ્રેશનના બીજ વાવ્યા.



`ઘર અને વિમાન બંને છે રિયલ, ન કે કમ્પ્યુટરાઇઝ્ડ ઇમેજ`
Connection Between a House in Jalandhar and Shah Rukh Khan: `ડંકી ડાયરીઝ`ના એક વીડિયોમાં શાહરૂખ ખાને એક ઘરની આકર્ષક તસવીર બતાવી છે, જેમાં તેની છત પર સિમેન્ટનું બનેલું વિમાન દેખાય છે. હિરાણીએ કહ્યું કે આ ઘર અને પ્લેન બંને વાસ્તવિક છે, કોમ્પ્યુટરાઈઝ્ડ નથી. પંજાબના જલંધર પાસે ઘરની ઉપર બનાવેલું વિમાન એ ગૌરવનું પ્રતીક છે કે અમારા પરિવારનો એક સભ્ય વિદેશમાં સ્થાયી થયો છે.



આ ઘર છે પંજાબની સંસ્કૃતિનો એક ભાગ
Connection Between a House in Jalandhar and Shah Rukh Khan: રાજકુમાર હિરાણીએ જણાવ્યું કે, "આ તસવીર ત્યારે લેવામાં આવી હતી જ્યારે અમે ફિલ્મ ડંકી બનાવવાનો નિર્ણય લીધો હતો અને આ વિશે વધુ જાણવા માટે અમે તે ઘરનો પ્રવાસ કર્યો હતો." આ ઘરને જોયા બાદ ડિરેક્ટરને ખબર પડી કે આ પંજાબની સંસ્કૃતિનો એક ભાગ છે. વાતચીતમાં સામેલ થતા શાહરુખે કહ્યું કે તેમણે પણ શૂટિંગ દરમિયાન ઘરો પર એવા કન્સ્ટ્રક્શન જોયા છે પંજાબમાં. જો કે, તેમણે વિચાર્યું હતું કે આ ઘરની ઉપર પાણીની ટાંકી બનાવવા માટેની કોઈક નવી રીત હશે.

પંજાબ સાથે છે આ ફિલ્મનું વધુ એક કનેક્શન
Connection Between a House in Jalandhar and Shah Rukh Khan: `ડંકી` 21મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે, જેમાં શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ, અનિલ ગ્રોવર અને બોમન ઈરાની જેવા ઘણા મહાન કલાકારો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ડ્રામા સાથે કૉમેડીથી ભરપૂર છે. આ ફિલ્મનું પંજાબ સાથે બીજું કનેક્શન છે કે, આમાં એક પંજાબી ગીત `બંદા` છે, જે સૌથી વધુ પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ગાયું છે.

Whatsapp-channel Whatsapp-channel

20 December, 2023 05:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK