Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયદર્શન અને મધુર ભંડારકરને કોરોના

પ્રિયદર્શન અને મધુર ભંડારકરને કોરોના

Published : 09 January, 2022 01:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયદર્શનને કોરોના થતાં તેમને ચેન્નઈની અપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

પ્રિયદર્શન અને મધુર ભંડારકર

પ્રિયદર્શન અને મધુર ભંડારકર


ફિલ્મમેકર પ્રિયદર્શનને કોરોના થતાં તેમને ચેન્નઈની અપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હેલ્થ સુધારા પર છે. તેમને હજી સુધી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ નથી મળ્યો. તેમના ફૅન્સ તેમના સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે. બીજી તરફ મધુર ભંડારકરને પણ કોવિડ થયો હોવાનું બહાર આવ્યું છે. કોરોના થયો હોવાનું મધુરે સોશ્યલ મીડિયામાં શૅર કર્યું હતું. એક નોટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મધુરે લખ્યું હતું, ‘મારી કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવી છે. વૅક્સિન લીધી હોવા છતાં મારામાં હલકાં લક્ષણ મળી આવ્યાં હતાં. મારી જાતને મેં આઇસોલેટેડ કરી દીધી છે. મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે તેઓ કોરોના-ટેસ્ટ કરાવી લે. સલામત રહો અને કોવિડના નિયમોનું પાલન કરો.’


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2022 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK