Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લોકો આજે રામાયણનો કચરો કરી રહ્યા છે

લોકો આજે રામાયણનો કચરો કરી રહ્યા છે

07 June, 2024 12:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ વિશે દીપિકા ચિખલિયાએ કહ્યું...

દીપિકા ચિખલિયા

દીપિકા ચિખલિયા


દીપિકા ચિખલિયા ઇચ્છે છે કે રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ‘રામાયણ’ ન બનવી જોઈએ. આ ફિલ્મને નિતેશ તિવારી ડિરેક્ટ કરી રહ્યા છે અને સાઉથનો સ્ટાર યશ એને પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે રાવણનું પાત્ર ભજવશે એવી ચર્ચા હતી, પરંતુ પછી એવી વાતો ચાલી હતી કે તે ફક્ત ફિલ્મને પ્રોડ્યુસ જ કરશે. હવે એવી પણ અટકળો ચાલી રહી છે કે આ ફિલ્મ માટે તેને ૨૦૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ ફિલ્મ હંમેશાંથી ચર્ચામાં રહી છે. આ વિશે દીપિકા ચિખલિયા કહે છે, ‘સાચું કહું તો જે લોકો ‘રામાયણ’ બનાવવાની કોશિશ કરી રહ્યા છે તેમનાથી હું ખૂબ જ નારાજ છું, કારણ કે મને નથી લાગતું કે એને બનાવવી જોઈએ. લોકો ‘રામાયણ’નો કચરો કરી રહ્યા છે. મને નથી લાગતું કે લોકોએ હવે એ બનાવવાની કોશિશ કરવી જોઈએ; કારણ કે જેટલી વાર બનાવવામાં આવે છે એટલી વાર એમાં નવી સ્ટોરી, નવો ઍન્ગલ અને નવા લુકને દેખાડવાની કોશિશ કરવામાં આવે છે. કોઈએ પણ ધર્મ સાથે ચેડાં ન કરવાં જોઈએ. ‘રામાયણ’ સિવાય ઘણી સ્ટોરી છે જેના વિશે વાત કરી શકાય છે. ઘણા ફ્રીડમ ફાઇટર્સ છે એના વિશે વાત કરો. ‘રામાયણ’ જ કેમ?’


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2024 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK