Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મોબાઇલને જ પોતાની દુનિયા સમજનારાં પોતાનાં બાળકો માટે અર્શદ વારસી કહે છે...

મોબાઇલને જ પોતાની દુનિયા સમજનારાં પોતાનાં બાળકો માટે અર્શદ વારસી કહે છે...

Published : 11 August, 2024 08:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાળકો વિશે જણાવ્યું કે તેઓ જો પોતાના મોબાઇલ સાથે રૂમમાં જાય તો બે-ત્રણ દિવસ સુધી બહાર નથી આવતાં

અર્શદ વારસી

અર્શદ વારસી


અર્શદ વારસીએ હાલમાં મોબાઇલ પાછળ ઘેલાં બનેલાં બાળકોને લઈને પોતાનો વિચાર વ્યક્ત કર્યો છે. તેણે તેનાં બાળકો વિશે જણાવ્યું કે તેઓ જો પોતાના મોબાઇલ સાથે રૂમમાં જાય તો બે-ત્રણ દિવસ સુધી બહાર નથી આવતાં. મારિયા ગોરેટ્ટી સાથે ૧૯૯૯માં અર્શદે લગ્ન કર્યાં હતાં. તેમને બે બાળકો છે. તેમનો ૧૯ વર્ષનો દીકરો અને ૧૭ વર્ષની દીકરી મોબાઇલમાં ખોવાયેલાં રહે છે. અર્શદને પૂછવામાં આવ્યું કે બાળકોની કઈ ટેવથી તને ગુસ્સો આવે છે? એના જવાબમાં અર્શદ કહે છે, ‘તેઓ જ્યારે પોતાને અમારાથી અળગાં કરી દે તો મને નથી ગમતું. આ નવી પેઢી સાથે આ જ સમસ્યા છે. અગાઉ આવું નહોતું થતું. તેમની લાઇફ તેમના ફોનની આજુબાજુ વીંટળાયેલી રહે છે. તેઓ જ્યારે તેમની રૂમમાં જાય તો બે-ત્રણ દિવસ બાદ જ બહાર આવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2024 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK