Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નજીવનમાં નિષ્ફળ રહેનાર અનુરાગ કશ્યપે કહ્યું : હું ખૂબ ખરાબ પિતા છું

લગ્નજીવનમાં નિષ્ફળ રહેનાર અનુરાગ કશ્યપે કહ્યું : હું ખૂબ ખરાબ પિતા છું

Published : 15 May, 2024 05:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે-બે વાર ડિવૉર્સ વિશે દીકરીએ પૂછતાં અનુરાગ કહે છે, ‘મને એક વસ્તુનો અહેસાસ થયો છે કે હું રિલેશનશિપ માટે નથી બન્યો

અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ


અનુરાગ કશ્યપ લાઇફમાં હવે ક્યારેય લગ્ન કરવા નથી માગતો. તે પોતાને ખૂબ ખરાબ પિતા માને છે. અનુરાગે હાલમાં તેની દીકરી આલિયા સાથે એક પૉડકાસ્ટ કર્યું હતું. અનુરાગે પહેલાં આરતી બજાજ સાથે લગ્ન કર્યાં હતાં અને ડિવૉર્સ બાદ કલ્કિ કોચલિન સાથે લગ્ન કર્યાં હતાં. બે-બે વાર ડિવૉર્સ વિશે દીકરીએ પૂછતાં અનુરાગ કહે છે, ‘મને એક વસ્તુનો અહેસાસ થયો છે કે હું રિલેશનશિપ માટે નથી બન્યો. ફિલ્મને લઈને મારું જે ઑબ્સેશન છે, મારું કામ અને હું જે પ્રકારની ફિલ્મો બનાવું છું એને કારણે હું રિલેશનશિપમાં નથી રહી શકતો. હું ફરી લગ્ન કરવા પણ નથી માગતો.’
આલિયા તેની પહેલી પત્ની આરતી બજાજ સાથેની દીકરી છે. આલિયાની ઇચ્છા હતી કે તેને એક ભાઈ અથવા બહેન હોય. એ વિશે અનુરાગ દીકરીને કહે છે, ‘બીજા બાળકને જન્મ આપવા માટે હવે તારો પિતા ખૂબ ઘરડો થઈ ગયો છે. જોકે એક પેરન્ટ તરીકે હું ખૂબ ખરાબ પિતા છું એની પણ મને ખબર છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2024 05:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK