Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઈમાનદાર વ્યક્તિએ વધુ ઈમાનદાર ન બનવું જોઈએ

ઈમાનદાર વ્યક્તિએ વધુ ઈમાનદાર ન બનવું જોઈએ

06 June, 2024 12:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીની હાર બાદ અનુપમ ખેરે કહ્યું...

અનુપમ ખેર

અનુપમ ખેર


અનુપમ ખેરનું માનવું છે કે ઈમાનદાર વ્યક્તિએ વધુ ઈમાનદાર ન બનવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદની સીટ પર શૉકિંગ હાર જોવી પડી છે. આ બેઠકમાં અયોધ્યાનો પણ સમાવેશ છે. રામમંદિર બનાવવા છતાં અયોધ્યામાં BJPની હાર જોવા મળી છે. આ વિશે અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘ઘણી વાર વિચારું છું કે ઈમાનદાર વ્યક્તિએ વધુપડતા ઈમાનદાર ન બનવું જોઈએ. જંગલમાં સીધા ઝાડને જ પહેલાં કાપવામાં આવે છે. વધુપડતી ઈમાનદાર વ્યક્તિએ જ સૌથી વધુ કષ્ટ સહન કરવાં પડે છે. જોકે એમ છતાં તે પોતાની ઈમાનદારી નથી છોડતી. એટલે જ કરોડો લોકો માટે તેઓ પ્રેરણાના સ્રોત બન્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2024 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK