Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૈલાસ પર્વતની યાત્રા ન કરવાનો વસવસો છે અમિતાભ બચ્ચનને

કૈલાસ પર્વતની યાત્રા ન કરવાનો વસવસો છે અમિતાભ બચ્ચનને

Published : 16 October, 2023 03:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૈલાસની યાત્રા કરી હતી અને એનો ફોટો પણ શૅર કર્યો હતો.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચને એક બાબતને લઈને અફસોસ વ્યક્ત કર્યો છે. તેમને કૈલાસ પર્વતની યાત્રા ન કરવાનો વસવસો છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૈલાસની યાત્રા કરી હતી અને એનો ફોટો પણ શૅર કર્યો હતો. પિથૌરાગઢમાં આવેલા પાર્વતી કુંડમાં અને જોગેશ્વર ધામમાં જઈને પણ તેમણે પૂજા કરી હતી. આ પવિત્ર ધાર્મિક સ્થળની યાત્રા કરવા દર વર્ષે ભક્તો જાય છે. એવી માન્યતા છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી આ રમણીય પર્વત પર ધ્યાન કરતાં હોય છે. પીએમ મોદીનો આ ફોટો જોઈને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર અમિતાભ બચ્ચને લખ્યું કે ‘કૈલાસ પર્વતની ધાર્મિકતા, રહસ્ય અને દિવ્યતા મને લાંબા સમયથી આકર્ષિત કરતી આવી છે. જોકે અફસોસની વાત એ છે કે હું કદી પણ વ્યક્તિગત રૂપે એને જોઈ નથી શક્યો.’


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2023 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK