Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફ્લૉપ થયેેલી ફિલ્મોને લઈને છલકાયું અક્ષયકુમારનું દર્દ

ફ્લૉપ થયેેલી ફિલ્મોને લઈને છલકાયું અક્ષયકુમારનું દર્દ

25 July, 2024 10:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે કહ્યું કે તકલીફ થાય છે અને એની અસર પણ પડે છે

અક્ષયકુમાર

અક્ષયકુમાર


અક્ષયકુમારની છેલ્લા થોડા વખતથી ફિલ્મો ફ્લૉપ થઈ રહી છે. તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સરફિરા’ બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે પટકાઈ છે. અક્ષયકુમાર જણાવે છે કે લૉકડાઉન બાદ ફિલ્મોની પસંદગી તે ખૂબ સમજી-વિચારીને કરે છે. તે દર્શકોને હટકે અને મનોરંજન આપી શકે એવી ફિલ્મો બનાવવા માગે છે. ફિલ્મો ફ્લૉપ થાય તો એમાંથી પણ કંઈ શીખવા મળે છે એ વિશે અક્ષયકુમાર કહે છે, ‘દરેક ફિલ્મની પાછળ અતિશય મહેનત કરવામાં આવે છે. એવામાં ફિલ્મ જો ફ્લૉપ થાય તો તકલીફ થાય છે. જોકે દરેક નિષ્ફળતા આપણને સફળતાની કદર કરતાં શીખવાડે છે.’


સાથે જ ફિલ્મો ફ્લૉપ થતાં પીડા થાય છે એ વિશે અક્ષયકુમાર કહે છે, ‘સદ્નસીબે હું કરીઅરની શરૂઆતમાં જ શીખી ગયો હતો કે એમાંથી કઈ રીતે બહાર આવવું. જોકે એનાથી તકલીફ તો થાય છે અને એની અસર પણ પડે છે, પરંતુ એનાથી ફિલ્મનું નસીબ નથી બદલાઈ જવાનું. આ બાબત તમારા હાથમાં નથી. તમે સખત મહેનત કરો એ જ તમારા હાથમાં છે અને આગામી ફિલ્મમાં પૂરું સમર્પણ આપો. આવી રીતે હું મારી એનર્જીનો ઉપયોગ કરું છું અને અન્ય ફિલ્મમાં ઓતપ્રોત થઈ જાઉં છું. એવી વસ્તુમાં હું મારી ઊર્જાનો ઉપયોગ કરું છું જેમાં એની વધુ જરૂર હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2024 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK