Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Adipurush: રામાયણના લક્ષ્મણ સુનીલ લહેરીએ સન્ની સિંહ પર આપી પ્રતિક્રિયા

Adipurush: રામાયણના લક્ષ્મણ સુનીલ લહેરીએ સન્ની સિંહ પર આપી પ્રતિક્રિયા

05 June, 2023 04:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ `આદિપુરુષ` રિલીઝ માટે તૈયાર છે. છેલ્લા વર્ષથી આ પૌરાણિક ફિલ્મની ચર્ચા ચાલી રહી છે

તસવીર સૌજન્ય: પીઆર

તસવીર સૌજન્ય: પીઆર


પ્રભાસ (Prabhas) અને કૃતિ સેનન (Kriti Sanon) અભિનીત ફિલ્મ `આદિપુરુષ` (Adipurush) રિલીઝ માટે તૈયાર છે. છેલ્લા વર્ષથી આ પૌરાણિક ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. ફિલ્મના ગીતો અને ટીઝર પહેલેથી જ રિલીઝ થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ મળી રહી છે. તાજેતરમાં રામાયણ સિરિયલમાં લક્ષ્મણનું પાત્ર ભજવતા સુનીલ લાહિરીએ પણ પ્રતિક્રિયા આપી છે.


સની કૌશલે ભજવ્યું છે લક્ષ્મણનું પાત્ર



ઓમ રાઉતની આ ફિલ્મ અંગે સુનીલ લાહિરી (Sunil Lahri)એ એક ઈન્ટરવ્યુમાં સની કૌશલની લક્ષ્મણની ભૂમિકા વિશે વાત કરી હતી. સુનીલ લાહિરીએ કહ્યું કે, “અત્યારે કંઈપણ કહેવું ખૂબ મુશ્કેલ છે કારણ કે ટ્રેલરમાં લક્ષ્મણના પાત્ર વિશે ભાગ્યે જ કંઈ બતાવવામાં આવ્યું છે, પરંતુ મને ખાતરી છે કે સની એક સારો અભિનેતા છે અને તેણે ભૂમિકાને ન્યાય આપ્યો હશે.”


રામાયણના લક્ષ્મણે પ્રતિક્રિયા આપી

આદિપુરુષ (Adipurush) વિશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "લક્ષ્મણની ભૂમિકામાં ઘણું કરવાનું છે, પરંતુ તે તેના પર નિર્ભર કરે છે કે દિગ્દર્શક, લેખક અને સંપાદક તેના પાત્રને કેવી રીતે દર્શાવવા માગે છે.” રામાયણના શૂટિંગના તેમના દિવસોને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે, “જ્યારે હું રામાયણનું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે મારી પાસે લક્ષ્મણના પાત્ર માટે ભૂતકાળમાં કોઈ સંદર્ભો નહોતા. હું જે કંઈ પણ કરી શક્યો, સાગર સાહેબના માર્ગદર્શનથી તે થઈ ગયું. હું ખરેખર આદિપુરુષ તેમ જ સની સિંહ અને બાકીના કલાકારોને મોટી સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.”


16 જૂને રિલીઝ થશે ફિલ્મ

ટી-સિરીઝ અને રેટ્રોફિલ્સની ફિલ્મ, આદિપુરુષ અગાઉ આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થવાની હતી, પરંતુ લોકોએ ફિલ્મના ગ્રાફિક્સની એટલી મજાક ઉડાવી કે મેકર્સે તેને એડિટ ટેબલ પર વધુ સમય આપવાનું નક્કી કર્યું હતું. હવે તે હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં 16 જૂને રિલીઝ થશે.

આ પણ વાંચો: જ્યારે મહાભારત દરમિયાન શકુની મામા ઉર્ફે ગૂફી પેન્ટલને ચાહકે આપી હતી ધમકી

ઉલ્લેખનીય છે કે પ્રભાસની ‘આદિપુરુષ’ ૫૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની છે અને એની રિલીઝ અગાઉ ફિલ્મે ૪૩૨ કરોડ રૂપિયા મેળવી લીધા છે. આ ફિલ્મમાં ક્રિતી સૅનન, સૈફ અલી ખાન અને સની સિંહ લીડ રોલમાં છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. ફિલ્મ ૧૬ જૂને થિયેટરમાં રિલીઝ થશે. જોકે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ બજેટનો ૮૫ ટકા ભાગ રિકવર થઈ ગયો છે. એવું જાણવા મળ્યું છે કે સૅટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ અને ડિજિટલ રાઇટ્સમાંથી ફિલ્મને ૨૪૭ કરોડ રૂપિયા મળ્યા છે. સાથે જ સાઉથમાં આ ફિલ્મ રિલીઝ થવાથી ૧૮૫ કરોડ રૂપિયા નક્કી મળશે એવો અંદાજ લગાવવામાં આવે છે એટલે એમ કહી શકાય કે રિલીઝ પહેલાં જ થોડો ઘણો બિઝનેસ થઈ ગયો છે.

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2023 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK