એ દિવસોમાં દિલીપકુમાર અને મધુબાલાનું પ્રેમપ્રકરણ જગજાહેર હતું. આમ તો ગુરુ દત્તને મધુબાલાને લેવામાં કોઈ વાંધો નહોતો
દિલીપ કુમાર
‘પ્યાસા’નાં થોડાં દૃશ્યોના શૂટિંગ બાદ ગુરુ દત્તને એમ લાગ્યું કે પોતે વિજયની ભૂમિકા તો કરે છે, પણ વાત બનતી નથી. અંતે તેમણે નક્કી કર્યું કે હીરો તરીકે બીજા કલાકારને પસંદ કરવો પડશે. એ સમયે દિલીપકુમાર આવી ગંભીર ભૂમિકા કરવા માટે જાણીતા હતા એટલે અબ્રાર અલવી સાથે ગુરુ દત્ત દિલીપકુમારને મળ્યા. ત્યાં શું બન્યું એ વાત મારી સાથે કરતાં ગુરુ દત્તનાં બહેન લલિતા લાજમી કહે છે...
(દિલીપકુમાર) ઃ ‘હું આ ભૂમિકા જરૂર કરીશ, પરંતુ મારી એક શરત છે.’
‘કઈ શરત?’
‘તમારે જો મારી જરૂર હોય તો ફિલ્મમાં મીનાની ભૂમિકા માટે તમે મધુબાલાને લો.’



