BJP સજ્જાદ લોનની પીપલ્સ કૉન્ફરન્સ અને અલ્તાફ બુખારીની અપની પાર્ટીને સમર્થન આપી રહી છે. BJPના નેતાઓ નૅશનલ કૉન્ફરન્સ અને પીપલ્સ ડેમાક્રૅટિક પાર્ટી (PDP)ને હરાવવા માટે મતદારોને અપીલ કરી રહ્યા છે.
ક્રૉસલાઇન
જમ્મુ એન્ડ કાશ્મીર
ગુજરાતમાં ચૂંટણી માટે પ્રચાર કરવા આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એપ્રિલમાં રાજકોટમાં કહ્યું હતું કે ‘કાશ્મીર અમારું છે, પરંતુ કૉન્ગ્રેસના લોકો અને પાર્ટી-અધ્યક્ષ ખડગે કહી રહ્યા છે કે ગુજરાત અને રાજસ્થાનને કાશ્મીર સાથે શું લેવાદેવા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કલમ ૩૭૦ હટાવવામાં આવશે તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લાં પાંચ વર્ષમાં ત્યાં એક પણ પથ્થર ફેંકવામાં આવ્યો નથી. કૉન્ગ્રેસ સરકારના સમયમાં કાશ્મીરમાં બૉમ્બવિસ્ફોટો થતા હતા, પરંતુ ઉરી અને પુલવામાના હુમલા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદને ખતમ કર્યો છે.’