આવતી કાલે અમલમાં મુકાનારા નવા ક્રિમિનલ લૉ પ્રમાણે આવું સંભવ છે એવો દાવો કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં કર્યો હતો. ન્યાયપ્રણાલીની દૃષ્ટિએ આવતી કાલનો દિવસ ઐતિહાસિક છે; કારણ કે ૧૮૬૦માં લાગુ થયેલો ઇન્ડિયન પીનલ કોડ હવે ભારતીય ન્યાયસંહિતા બની જશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
‘શ્રી ૪૨૦’ ફિલ્મ યાદ છે? ૧૯૫૫ની ૬ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી રાજ કપૂર અને નર્ગિસની આ સુપરહિટ ફિલ્મ જો આજે બને તો એનું નામ બદલીને ‘શ્રી ૧૩૮’ (૪) રાખવું પડે. કારણ કે છેતરપિંડીના ગુનાઓને સમાવતી ૪૨૦ની કલમ હવે બદલાઈ ગઈ છે. આ એક નહીં, ક્રિમિનલ લૉના કાયદામાં આવેલો ધરમૂળ બદલાવ હવે દરેક કલમમાં લાગુ પડશે. બ્રિટિશરાજમાં ૧૮૬૦માં લાગુ કરવામાં આવેલા ‘ઇન્ડિયન પીનલ કોડ’ (IPC), ૧૮૭૨માં લાગુ થયેલો ‘ઇન્ડિયન એવિડન્સ ઍક્ટ’ અને ૧૮૯૮માં લાગુ થયેલો કાયદો કોડ ઑફ ક્રિમિનલ પ્રોસીજર (CrPC) હવે બદલાયા છે. ડિસેમ્બર ૨૦૨૩માં ઠરાવ પાસ થયા પછી ઘડાયેલા આ નવા કાયદાનું અનુસરણ આવતી કાલથી એટલે કે પહેલી જુલાઈથી થવાનું છે. ઇન્ડિયન પીનલ કોડને બદલે ભારતીય ન્યાયસંહિતા, ૨૦૨૩ (BNS), કોડ ઑફ ક્રિમિનલ પ્રોસીજરને બદલે હવે ભારતીય નાગરિક સુરક્ષાસંહિતા, ૨૦૨૩ (BNSS) આવશે અને ઇન્ડિયન એવિડન્સ ઍક્ટને બદલે હવે ભારતીય સાક્ષ અધિનિયમ, ૨૦૨૩ (BSA) લાગુ કરવામાં આવશે. ૧૬૩ વર્ષ પછી ભારતીય ન્યાય-વ્યવસ્થામાં આવેલો આ સૌથી મોટો બદલાવ કહી શકાય. ક્રિમિનલ પ્રોસીજર સાથે વણાયેલા કાયદાને નવા રંગરૂપમાં રજૂ કરવાનું કાર્ય ૨૦૧૯થી સરકારે આરંભી દીધું હતું, જેનું ધ્યેય હતું કે બ્રિટિશકાળથી ચાલી આવતી કૉલોનિયલ માનસિકતામાંથી બહાર આવીને બદલાયેલા સમયની જરૂરિયાતને સમજીને કાયદાનું ગઠન થાય. કાયદાનું બિલ પાસ થાય એ પહેલાં ગૃહપ્રધાન અમિત શાહે આપેલી પાર્લમેન્ટરી સ્પીચમાં તેમણે કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો કરી હતી જેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે ‘દોઢસો વર્ષ જૂના અંગ્રેજોના સમયમાં બનેલા કાયદામાં ગુલામીની માનસિકતા અને ગુલામીનાં ચિહ્નો હતાં. એની પાછળનું ધ્યેય વિદેશી શાસક દ્વારા ગુલામીમાં રહેલી પ્રજા પર પોતાનું આધિપત્ય જમાવવાનું હતું જેમાં દંડને પ્રાધાન્ય અપાયું હતું. વ્યક્તિની સ્વતંત્રતા, માનવ અધિકાર અને સૌની સાથે સમાન વ્યવહાર એ ત્રણ પાયાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને નવા ક્રિમિનલ લૉનું ગઠન આપણે કર્યું છે. પહેલાંના કાયદામાં અંગ્રેજોના શાસનમાં વિઘ્ન ઊભું કરનારી બાબતને પ્રાધાન્ય અપાયું હતું, જ્યારે નવા કાયદામાં મહિલા અને બાળકો સાથે થતા ક્રાઇમને પ્રાધાન્ય અપાયું છે. દેશની સુરક્ષા, રાષ્ટ્રહિત એ હવે આપણી પ્રાથમિકતા છે અને આપણી કાયદાકીય કલમોમાં પણ એને અગ્રણી સ્થાન મળવું જોઈએ.’
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)