CSIR-CBRI તરીકે ઓળખાતા ભારત સરકારના ડિપાર્ટમેન્ટે સ્ટોનથી બનતી ઇમારત માટે જરૂરી સંશોધન તો કર્યું જ, સાથોસાથ સૉફ્ટવેર પણ ડેવલપ કરવાનું કામ કર્યું
અરાઉન્ડ ધી આર્ક
અયોધ્યાના રામમંદિરને ૨પ૦૦ની સાલ સુધી મેઇન્ટેન કરવામાં ન આવે તો પણ એના પર હવામાન કે કુદરતી આપત્તિઓની એક ટકાભાર અસર નહીં જોવા મળે.
આપણે વાત કરીએ છીએ અયોધ્યાના રામમંદિરની, જેને માટે અમારે સરકારમાં સર્ટિફિકેટ આપવાનું હતું કે મંદિર અર્થક્વેક સહન કરી શકે એમ છે અને અમારી મોટી મજબૂરી હતી કે પથ્થરના મંદિરની ધરતીકંપ પ્રતિરોધકતા માપવા માટેનું કોઈ સૉફ્ટવેર બન્યું જ નથી. જો સિમેન્ટ-કૉન્ક્રીટની ઇમારત હોય તો એને માટે તમે અર્થક્વેક-પ્રૂફનું સર્ટિફિકેટ આસાનીથી મેળવી શકો. એને માટે અનેક ઇન્સ્ટિટ્યૂટ પણ છે તો ઘણી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ કંપની પણ છે જે એ ચેક કરવાનું કામ કરે છે. એ સૉફ્ટવેરમાં શું હોય એ તમને સમજાવું.