Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > પૅન્ડેમિકે આપણને કેટકેટલું શીખવ્યું, પણ એ બધામાંથી કેટલું યાદ રહ્યું?

પૅન્ડેમિકે આપણને કેટકેટલું શીખવ્યું, પણ એ બધામાંથી કેટલું યાદ રહ્યું?

Published : 16 August, 2024 08:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે જ્યારે કોવિડનો એ પેન્ડેમિક પિરિયડ મોટા ભાગના લોકોને યાદ નથી રહ્યો ત્યારે મને થાય છે કે એ પિરિયડ ખરેખર ભૂલવા જેવો તો નહોતો જ નહોતો

પ્રતીકાત્મક તસવીર

મારી વાત

પ્રતીકાત્મક તસવીર


કોવિડ ક્યારેય નહીં ભુલાય, કોઈને પણ નહીં ભુલાય એવું હું માનું છું અને મને તો ખાસ, કારણ કે કોવિડમાં મેં મારા પપ્પા ગુમાવ્યા. એ પિરિયડે આપણને શીખવાડ્યું, સમજાવ્યું કે બહુ ભાગવાથી કંઈ વળવાનું નથી. ફૅમિલીથી દૂર રહીને ફૅમિલીને બેટર લાઇફસ્ટાઇલ આપવાની આપણે જે આર્ગ્યુમેન્ટ્સ કરતા હતા એ આપણી બધી આર્ગ્યુમેન્ટ્સ કોવિડના પેન્ડેમિકમાં તૂટી ગઈ. ફૅમિલી સાથે હોઈએ એનાથી મોટું બીજું કોઈ સુખ નથી એ વાત આપણને એ પિરિયડમાં સમજાઈ અને એ પણ સમજાયું કે આપણી નીડ ખરેખર કેટલી ઓછી છે. એકબીજા સાથે રહેવાનો એ સમય હતો. નાનામાં નાની વાતમાં એકબીજા પ્રત્યેની કૅર હતી અને એ કૅર વચ્ચે સતત ઇમોશન્સ દેખાતાં હતાં. રિયલિટી તો આ જ છેને? આપણે કઈ બ્રૅન્ડનો મોબાઇલ યુઝ કરીએ છીએ એ નહીં પણ આપણી પાસે ફૅમિલીનું કોણ-કોણ ઊભું છે એ જોવાનો-સમજવાનો એ આખો પિરિયડ હતો એવું મને લાગે છે.


આજે જ્યારે કોવિડનો એ પેન્ડેમિક પિરિયડ મોટા ભાગના લોકોને યાદ નથી રહ્યો ત્યારે મને થાય છે કે એ પિરિયડ ખરેખર ભૂલવા જેવો તો નહોતો જ નહોતો. ઍટ લીસ્ટ, મને એવું લાગે છે. રિલેશનની કિંમત આપણને એ સમયે સમજાવી હતી અને એ પણ સમજાવ્યું હતું કે કુદરતની સામે આપણે બધા લાચાર છીએ, પણ આજના આ સમયને જોઈએ છીએ ત્યારે થાય છે કે આપણે કેટલું ઝડપથી આ જે સત્ય છે એને ભૂલી ગયા.



અફકોર્સ, દરેકની પોતપોતાની વિચારવાની અને જીવન જીવવાની રીત હોય એટલે હું કોઈને દોષ નથી આપતી; પણ હા, હું એટલું ચોક્કસ કહીશ કે જો આપણે કોવિડ આજે પણ ન ભૂલ્યા હોત તો આજે પણ આપણી જરૂરિયાત એટલી જ રહી હોત જેટલી એ સમયે લિમિટેડ થઈ ગઈ હતી અને એ જ રિયલિટી હતી. ભાગવું, દોડવું અને બધું જલદી-જલદી મેળવી લેવાની જે મેન્ટાલિટી એ સમયે કન્ટ્રોલમાં આવી ગઈ હતી એ ખરેખર કન્ટ્રોલમાં રહે તો આજે પણ આપણે એટલી જ શાંતિ સાથે અને નિરાંત સાથે જીવી શકીએ.


મારા જેવા ઘણા હશે જેઓ આજે પણ આવું જ માનતા હશે અને ભાગવા કે દોડવાને બદલે સરળતા સાથે, જરૂરિયાતોને મર્યાદામાં રાખીને પણ બહુ સરસ રીતે જીવી શકાય. ઍટ ધી એન્ડ ઑફ લાઇફ એ નથી જોવાતું કે તમે કેટલું જીવ્યા, પણ જોવાય એ છે કે તમે કેવું જીવ્યા! કદાચ કોવિડનું પેન્ડેમિક આપણને આ જ વાત સમજાવવા આવ્યું હશે. જેણે એ વાત સમજી લીધી તે આજે મર્યાદિત જરૂરિયાતો સાથે પણ ભરપૂર જીવે છે અને જે એ વાત ટેમ્પરરી સમજીને ભૂલી ગયા તે ભરપૂર ભેગું કરવા માટે જીવી રહ્યા છે. જેને જે યોગ્ય લાગ્યું એ કરે છે, બીજું તો શું કહેવાનું.

 


- રિદ્ધિ નાયક-શુક્લ (ઍક્ટ્રેસ રિદ્ધિ નાયક-શુક્લએ ‘એક રૂમ રસોડું’, ‘માધુરી દીક્ષિત’ જેવાં ગુજરાતી નાટકો અને ‘બંદિની’, ‘બાલિકાવધૂ 2’ હિન્દી સિરિયલો કરી છે.)

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2024 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK