આ પ્રોફેસરને કોઈક સોલર ગાંધી કહે છે તો કોઈક સોલર મૅન ઑફ ઇન્ડિયા કહે છે
ચેતનસિંહ સોલંકી
કુદરતી સંસાધનોનો સમજીવિચારીને ઉપયોગ કરવો જોઈએ એ મંત્રનો ભેખ ધારણ કરીને ૨૦૨૦થી સોલર પાવરથી ચાલતી બસમાં ભારતભ્રમણ કરી રહેલા ચેતનસિંહ સોલંકીએ સેંકડો ગામમાં સૌરઊર્જાથી સંચાલિત ફાનસનો ઉજાસ ફેલાવ્યો છે અને તેઓ લોકોને પર્યાવરણ બાબતે સંવેદનશીલ થવા ઝંઝોળવાનું કામ કરી રહ્યા છે. કોઈ સિસ્ટમના બદલાવ માટે વિરોધ-પ્રદર્શનો નહીં પણ વ્યક્તિગત સંવેદના જગાવીને જન-જનને જગાડવા દેશભ્રમણ કરી રહેલા આ પ્રોફેસરને કોઈક સોલર ગાંધી કહે છે તો કોઈક સોલર મૅન ઑફ ઇન્ડિયા કહે છે