Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > ભારત ૧૦ હજાર ટન ઘઉં અફઘાનિસ્તાન નિકાસ કરશે

ભારત ૧૦ હજાર ટન ઘઉં અફઘાનિસ્તાન નિકાસ કરશે

Published : 19 April, 2023 03:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માનવતાના ધોરણે યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ સમજૂતી કરારો થયા

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


ભારત અફઘાનિસ્તાનમાં સતત બીજા વર્ષે ઘઉંની નિકાસ કરવા માટે તૈયાર થયું છે. ભારતે ખાદ્ય કટોકટીનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનના લોકો માટે ૧૦ હજાર ટન ઘઉંની માનવતાવાદી ખાદ્ય સહાય માટે યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે સમજૂતીના કરારો પર હસ્તાક્ષર કર્યા છે.


ગયા વર્ષે ભારત તરફથી ૪૦ હજાર ટન ઘઉંના નિકાસ યોગદાનને પગલે સમગ્ર અફઘાનિસ્તાનમાં ૨૩૦ લાખ ખોરાક-અસુરક્ષિત લોકો માટે સહાયની વ્યવસ્થા કરી હતી.



વિદેશ મંત્રાલયના પાકિસ્તાન-અફઘાન-ઈરાન વિભાગના સંયુક્ત સચિવ જે. પી. સિંઘ અને ભારતમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના પ્રતિનિધિ અને કન્ટ્રી ડિરેક્ટર એલિઝાબેથ ફૌરે વચ્ચે મુંબઈમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.


અફઘાનિસ્તાનના લોકોને ખાદ્ય સહાય માટે ભારત સરકારનો નિષ્ઠાપૂર્વક આભાર માન્યો હતો. ભારતની સહાય જરૂરિયાતમંદ પરિવારો માટે જીવનરેખા છે અને સમગ્ર અફઘાનિસ્તાનમાં લાખો લોકોને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એ સહાયનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે એમ ફૌરેએ જણાવ્યું હતું.

અફઘાનિસ્તાનમાં આ કરારો હેઠળ જેને સૌથી વધુ જરૂર હોય એવા લોકોને પહેલેથી જ પહોંચાડવામાં આવેલી સહાય પર પાંચમો તબક્કો છે. ભારતે એની પ્રતિબદ્ધતા પૂરી કરી છે એમ સિંહે આ પ્રસંગે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2023 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK