Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > રાયડા તેલની પણ આયાત ડ્યુટી ૭.૫ ટકા ઘટાડવા ’સી‘ની માગ

રાયડા તેલની પણ આયાત ડ્યુટી ૭.૫ ટકા ઘટાડવા ’સી‘ની માગ

25 August, 2021 03:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાયડા તેલની આયાત ડ્યુટી હાલમાં ૩૫ ટકા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેન્દ્ર સરકારે એક પછી એક પામતેલ, સોયા તેલ અને સનફ્લાવર તેલની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, પરંતુ રાયડા તેલની ડ્યુટી યથાવત રાખી છે ત્યારે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના પ્રમુખ અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે સોયા-સનફ્લાવરની સાથે રાયડા તેલની આયાત ડ્યુટીમાં પણ સરકાર દ્વારા ૭.૫ ટકાનો ઘટાડો કરવામાં આવે તો તેના ગ્રાહકોને પણ ફાયદો થઈ શકે એમ છે. રાયડા તેલની આયાત ડ્યુટી હાલમાં ૩૫ ટકા છે, જેને ઘટાડીને ૨૭.૫ ટકા કરવામાં આવે એ જરૂરી છે. તેમણે કહ્યું કે સરકારે ખાદ્યતેલની ડ્યુટીનો ફેરફાર બજારને બૅલૅન્સ કરવા માટે કર્યો છે એ આવકારદાયક છે. ઑક્ટોબરથી નવા તેલીબિયાંની આવકો શરૂ થાય ત્યારે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એ હેતુથી સરકારે ૩૦ સપ્ટેમ્બર સુધી જ ડ્યુટી ઘટાડાનો નિર્ણય આવકારદાયક છે.


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2021 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK