Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > ટપરવેઅરે હરાજી કૅન્સલ કરી : ધિરાણકર્તાઓ સંપત્તિ ખરીદશે

ટપરવેઅરે હરાજી કૅન્સલ કરી : ધિરાણકર્તાઓ સંપત્તિ ખરીદશે

Published : 25 October, 2024 07:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં અમેરિકન બૅન્કરપ્સી કોર્ટમાં કંપનીએ આ યોજનાની જાણકારી આપી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાદાર બનેલી ફૂડ સ્ટોરેજ અને કિચન અપ્લાય​ન્સિઝ બનાવતી કંપની ટપરવેઅરે એના બિઝનેસ ધિરાણકર્તાઓને ૨૩.૫ મિલ્યન ડૉલર રોકડમાં અને ૬૩ મિલ્યન ડૉલરના દેવાની રાહતમાં વેચવા માટે સંમતિ દર્શાવી હતી અને તેમની સંપત્તિઓની ઓપન માર્કેટ હરાજીની યોજના રદ કરી હતી. અમેરિકાના ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં અમેરિકન બૅન્કરપ્સી કોર્ટમાં કંપનીએ આ યોજનાની 
જાણકારી આપી હતી. જજે આ મુદ્દે જણાવ્યું હતું કે તેઓ વેચાણને મંજૂરીને ધ્યાનમાં લેવા માટે ઝડપથી એક અલગ કોર્ટની સુનાવણી નિશ્ચિત કરશે. કંપની સામેના પડકારોમાં આ સૌથી સારી બાબત છે.


કંપનીએ ગયા મહિને નાદારી નોંધાવીને એની સંપત્તિની હરાજી માટે ત્રીસ દિવસમાં નવા ખરીદદારની શોધ ચલાવી હતી, પણ ધિરાણકર્તાઓએ આનો વિરોધ કર્યો હતો અને બદલામાં તેમણે જ કંપનીની સંપત્તિઓ પર દાવો કર્યો હતો. નવા સેલ ઍગ્રીમેન્ટ મુજબ ધિરાણકર્તાઓને ટપરવેઅર બ્રૅન્ડ અને વિવિધ માર્કેટમાં એનાં ઑપરેશન્સને ચલાવવાની સુવિધા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2024 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK