Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > ૨,૦૦૦ની ૯૭ ટકા નોટો હવે આરબીઆઇ પાસે

૨,૦૦૦ની ૯૭ ટકા નોટો હવે આરબીઆઇ પાસે

Published : 02 November, 2023 05:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચલણમાં રહેલી ૨,૦૦૦ રૂપિયાની નોટોમાંથી ૯૭ ટકાથી વધુ બૅન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે અને આવી માત્ર ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની નોટો જ લોકો પાસે હવે ચલણમાં છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચલણમાં રહેલી ૨,૦૦૦ રૂપિયાની નોટોમાંથી ૯૭ ટકાથી વધુ બૅન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે અને આવી માત્ર ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની નોટો જ લોકો પાસે હવે ચલણમાં છે, એમ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગઈ કાલે જણાવ્યું હતું.


આ વર્ષે ૧૯ મેએ આરબીઆઇએ ૨,૦૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.



ચલણમાં રહેલી ૨,૦૦૦ રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય જે ૧૯ મે, ૨૦૨૩ના રોજ કારોબારના અંતે ૩.૫૬ લાખ કરોડ રૂપિયા હતું, જ્યારે ૨,૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, જે બંધ સમયે ઘટીને ૦.૧૦ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.


દેશની આરબીઆઇની ૧૯ ઑફિસમાં લોકો ૨,૦૦૦ રૂપિયાની બૅન્ક નોટ જમા કરાવી શકે છે અથવા તો બદલી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2023 05:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK