07 August, 2024 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પવન શેહરાવત, પ્રદીપ નરવાલ
૧૫ અને ૧૬ ઑગસ્ટે મુંબઈમાં યોજાનારા પ્રો-કબડ્ડી લીગની ૧૧મી સીઝનના ઑક્શન માટે ગઈ કાલે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટની ૧૨ ફ્રૅન્ચાઇઝીઓએ કુલ ૮૮ ખેલાડીઓને રીટેન કર્યા છે; જેમાં બાવીસ એલિટ પ્લેયર્સ, ૨૬ યંગ પ્લેયર્સ અને ન્યુ યંગ પ્લેયર્સ કૅટેગરીના ૪૦ ખેલાડીઓ છે. રીટેન ન કરાયેલા સ્ટાર ખેલાડીઓમાં પવન શેહરાવત, પ્રદીપ નરવાલ અને મનિન્દર સિંહનો સમાવેશ થાય છે, જેમના પર હવે ઑક્શનમાં બોલી લાગશે.
ઑક્શનમાં સ્થાનિક અને વિદેશી પ્લેયરોને ચાર કૅટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. A કૅટેગરીમાં ખેલાડીઓની બેઝ-પ્રાઇસ ૩૦ લાખ, B કૅટેગરીમાં ૨૦ લાખ, C કૅટેગરીમાં ૧૩ લાખ તથા D કૅટેગરીમાં ૯ લાખ રૂપિયા રહેશે. ૧૧મી સીઝનના પ્લેયરોની હરાજીમાં ૫૦૦થી વધુ ખેલાડીઓ રહેશે, દરેક ફ્રૅન્ચાઇઝી પાસે સ્ક્વૉડ તૈયાર કરવા માટે પાંચ કરોડ રૂપિયાનું પર્સ રહેશે.