મૅચ શરૂ થાય એ પહેલાં સ્ટેડિયમમાં આવેલા હનુમાન મંદિરમાં થશે હવન

19 November, 2023 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર પાછળની સાઇડે આવેલા હનુમાન મંદિરના ઈશ્વરદાસજી મહારાજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બધા ભારતીય ખેલાડીઓને વિજયી ભવઃના હનુમાનજીદાદાના આશીર્વાદ છે.

મૅચ શરૂ થાય એ પહેલાં સ્ટેડિયમમાં આવેલા હનુમાન મંદિરમાં થશે હવન

આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો શરૂ થાય એ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવેલા હનુમાન મંદિરમાં હવન યોજાશે અને ભારત વર્લ્ડ કપ જીતી જાય એ માટે હનુમાનજીદાદાની પૂજા-પ્રાર્થના કરાશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર પાછળની સાઇડે આવેલા હનુમાન મંદિરના ઈશ્વરદાસજી મહારાજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બધા ભારતીય ખેલાડીઓને વિજયી ભવઃના હનુમાનજીદાદાના આશીર્વાદ છે. ખેલાડીઓ મૅચ જીતીને ભારતનું નામ રોશન કરે. આ વખતે બધા એવું સરસ રમ્યા છે કે એકેય મૅચ હાર્યા નથી અને હવે ક્રિકેટજગતમાં આવો પહેલો અવસર છે કે ભારત ફાઇનલ મૅચ જીતી જાય તો એ એક રેકૉર્ડ બનશે. બધા ભારતીય ખેલાડીઓને શુભકામના. બધા સાધુસંતોના આશીર્વાદ છે કે આપણી ટીમ જીતે. અમે સવારે પૂજા કરીને હવન કરીશું અને ત્યાર બાદ બપોરે પણ પ્રાર્થના કરીશું.’

sports news world cup cricket news ahmedabad narendra modi stadium