સૂર્યકુમાર યાદવ કેમ નહીં રમે દુલીપ ટ્રોફીમાં પ્રથમ રાઉન્ડની મૅચ?

03 September, 2024 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૂર્યકુમાર મુંબઈ માટે કોઇમ્બતુરમાં તામિલનાડુ ક્રિકેટ અસોસિએશન સામે બુચી બાબુ ટુર્નામેન્ટ રમ્યો હતો

સૂર્યકુમાર યાદવ

ભારતીય બૅટ્સમૅન સૂર્યકુમાર યાદવ જમણા હાથમાં થયેલી ઈજાને કારણે પાંચમી સપ્ટેમ્બરથી શરૂ થતી દુલીપ ટ્રોફી મૅચના પ્રથમ રાઉન્ડમાં રમી નહીં શકે. સૂર્યકુમાર મુંબઈ માટે કોઇમ્બતુરમાં તામિલનાડુ ક્રિકેટ અસોસિએશન સામે બુચી બાબુ ટુર્નામેન્ટ રમ્યો હતો. ઈજાને કારણે તે છેલ્લા દિવસે રમી નહોતો શક્યો. તે પાંચમીથી આઠમી સપ્ટેમ્બર દરમ્યાન આંધ્ર પ્રદેશના અનંતપુરમાં ઇન્ડિયા-સી ટીમ માટે ઇન્ડિયા-ડી વિરુદ્ધ રમવાનો હતો, પણ હવે તે ફિટ થવા બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી પહોંચશે. એ પહેલાં મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક દુલીપ ટ્રોફીની શરૂઆતની મૅચ પહેલાં ફિટ થઈ શકે એમ ન હોવાથી બહાર થયા હતા, જ્યારે સ્પિનર રવીન્દ્ર જાડેજાને એ ટુર્નામેન્ટમાં આરામ આપવામાં આવ્યો હતો.

sports sports news cricket news suryakumar yadav indian cricket team