28 June, 2024 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે લગાવેલા બૉલ-ટૅમ્પરિંગના આરોપને નકારી કાઢ્યો હતો. ઇન્ઝમામે આરોપ લગાવ્યો હતો કે અર્શદીપ સિંહે ઑસ્ટ્રેલિયા સામે T20 વર્લ્ડ કપની સુપર-એઇટ મૅચમાં રિવર્સ સ્વિંગ મેળવવા માટે બૉલ સાથે ચેડાં કર્યાં હતાં.
ઇંગ્લૅન્ડ સામેની સેમી ફાઇનલ મૅચ પહેલાં જ્યારે રોહિત શર્માને ઇન્ઝમામના આરોપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટનને મગજ ખુલ્લું રાખવાની સલાહ આપી. રોહિતે કહ્યું, ‘હવે આના પર હું શું કહું? તમે અહીંની ડ્રાય પિચ અને ગરમી નથી જોઈ રહ્યા? બધી ટીમો રિવર્સ સ્વિંગ મેળવી રહી છે. તમારે મગજ ખુલ્લું રાખવાની જરૂર છે. અમે ઑસ્ટ્રેલિયા કે ઇંગ્લૅન્ડ જેવી કન્ડિશનમાં નથી રમી રહ્યા.’